લલિત મોદીનો BCCI પર આરોપ:'IPLમાં દર સિઝનમાં ₹2,400 કરોડનું નુકસાન થઈ રહ્યું છે, આ તે નથી જે અમે વેચ્યું હતું'
IPLના પૂર્વ કમિશનરે કહ્યું કે વર્તમાન IPL ફોર્મેટથી BCCI અને ફ્રેન્ચાઇઝીઓને દર સિઝનમાં લગભગ 2,400 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. તેમના મતે, ઓછી મેચો તેનું સૌથી મોટું કારણ છે. તેમણે સ્પોર્ટ્સ સ્ટારના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે- શરૂઆતમાં દરેક ટીમને એકબીજા સામે બે વાર રમવાની યોજના હતી. 2022માં 10 ટીમો હોત તો 90 લીગ મેચ અને ચાર નોકઆઉટ મેચો થતી. જોકે, IPLએ હોમ-એન્ડ-અવે સિસ્ટમ બદલીને માત્ર 74 મેચો જ રાખી. આનાથી ફ્રેન્ચાઇઝીઓને નુકસાન થઈ રહ્યું છે. અમે જે વેચ્યું આ તે નથી. તેમણે કહ્યું કે, દરેક મેચ માટે BCCIને 50% અને બાકીના 50% ટીમોમાં વહેંચવામાં આવે છે. આનાથી ટીમોને 20 મેચોનું નુકસાન થઈ રહ્યું છે. હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં છુપાયેલી છે અસલી વેલ્યુ
તેમણે સ્પોર્ટ્સસ્ટારને કહ્યું, IPLની અસલી વેલ્યુ હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં છે. જો કેલેન્ડરમાં મેચો માટે જગ્યા ન હતી, તો ટીમોની સંખ્યા વધારવી જોઈતી ન હતી. તેમણે કહ્યું, અમે IPL આ રીતે વેચી ન હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે શું બધી ટીમોએ આ બદલાવ પર સહમતિ આપી હતી. 94 મેચ હોત તો કમાણી વધત
તેમણે કહ્યું કે, જો હોમ-એન્ડ-અવે ફોર્મેટમાં 94 મેચ હોત અને દરેક મેચની કિંમત 118 કરોડ રૂપિયા હોત, તો મીડિયા રાઇટ્સમાંથી 2,400 કરોડ રૂપિયાની વધારાની કમાણી થાત. એટલે કે BCCIને 2,400 કરોડ રૂપિયાની વધારાની આવક મળત. આમાંથી 1,200 કરોડ રૂપિયા 10 ટીમોને મળત, દરેક ટીમને 120 કરોડ રૂપિયા, અને ટીમોની વેલ્યુ વધત. IPLની ત્રીજી સિઝનમાં સસ્પેન્ડ થયા
લલિત મોદીને 2010માં IPLની ત્રીજી સિઝનની ફાઇનલ પછી તરત જ BCCI દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે અંડરવર્લ્ડ તરફથી ધમકીઓનો હવાલો આપીને તેઓ ભારત છોડીને લંડન ચાલ્યા ગયા. બાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી અને તેમનો પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યો. ત્યારથી લલિત મોદી લંડનમાં રહી રહ્યા છે. તેમની વિરુદ્ધ IPLમાં ખેલાડીઓની બોલીમાં હેરાફેરી, મની લોન્ડરિંગ અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનના કેસ ચાલી રહ્યા છે.
Read Original Article →