આ વખતે કઈ ટીમ IPL જીતી શકે?:RCB ફરી એકવાર ટાઇટલની દાવેદાર, CSKમાં ધોનીની બેટિંગ પોઝિશન પરિણામ નક્કી કરશે; ટીમનું એનાલિસિસ, પાર્ટ-1
IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થશે. 10 ટીમ વચ્ચે 74 મેચ બાદ વિજેતાનો નિર્ણય થશે. 7 ટીમ ટાઇટલ જીતી ચૂકી છે, જ્યારે દિલ્હી, પંજાબ અને લખનઉને પ્રથમ ખિતાબની રાહ છે. આ વખતે કોની દાવેદારી કેટલી મજબૂત છે તે જાણવા માટે અમે તમામ ટીમનું 5 માપદંડો પર વિશ્લેષણ કર્યું છે. તેમાં કેપ્ટન, ટીમ કોમ્બિનેશન, પ્લેયર પરફોર્મન્સ, પોસિબલ ગેમ પ્લાન અને એક્સપર્ટ ઓપિનિયન સામેલ છે. સ્ટોરીના પહેલા ભાગમાં વાંચો ચેન્નઈ, પંજાબ, હૈદરાબાદ, બેંગલુરુ અને લખનઉનું એનાલિસિસ. 1. ચેન્નઈ સુપર કિંગ્સ
સ્પિનર્સની ઇકોનોમી 7.50થી ઓછી
ધોનીની પોઝિશન નક્કી કરશે પરિણામો કેપ્ટન
ઋતુરાજ ગાયકવાડે 19 IPL મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 8 જીતાડી અને 11માં ટીમને હાર મળી. ગયા સીઝનમાં 5 મેચમાં ઋતુરાજ 150.61ના સ્ટ્રાઈક રેટથી માત્ર 122 રન જ બનાવી શક્યા. ઈજાના કારણે તેમના પછી એમએસ ધોનીએ કેપ્ટનશીપ કરી, પરંતુ ટીમ 14માંથી 10 મેચ હારીને 10મા સ્થાને રહી. ટીમ કોમ્બિનેશન
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા. તેની જગ્યાએ ટીમે ઓસ્ટ્રેલિયાના જ લેફ્ટ આર્મ પેસર સ્પેન્સર જોન્સનને સામેલ કર્યો છે. સ્પેન્સર 9 IPL મેચમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યો છે. તે ઓસ્ટ્રેલિયા માટે પણ 8 T20 જ રમી શક્યો છે. પ્લેયર પર્ફોર્મન્સ
ટોપ ઓર્ડરે જાન્યુઆરી 2023 પછી 154.29ના સ્ટ્રાઈક રેટ અને 45.81 ની સરેરાશથી રન બનાવ્યા. મિડલ ઓર્ડરે 154.73 ના સ્ટ્રાઈક રેટ અને 31.35ની સરેરાશથી સ્કોરિંગ કરી. પેસર્સે 8.22ની ઇકોનોમીથી 246 વિકેટ લીધી. જ્યારે સ્પિનર્સે 7.44ની ઇકોનોમીથી 355 વિકેટ લીધી. સંભવિત ગેમ પ્લાન
CSKએ પોતાની બેટિંગ ડેપ્થ વધારી દીધી છે. ચેપોકની પીચ સ્પિન માટે ફાયદાકારક હતી, પરંતુ ગયા વર્ષે તેને બેટિંગ ફ્રેન્ડલી બનાવી દેવામાં આવી. ટીમ બેટિંગના દમ પર મોટા સ્કોર બનાવીને મેચ જીતવા પર ફોકસ કરશે. નિષ્ણાતનો અભિપ્રાય
પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કહ્યું કે જો ધોની ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા માગે છે તો તેમણે નિવૃત્ત થઈ જવું જોઈએ. સંજુ સેમસન તેમના પરફેક્ટ રિપ્લેસમેન્ટ છે. ધોનીએ હવે કેપ્ટન ઋતુરાજનો હાથ છોડી દેવો જોઈએ. ટીમ મજબૂત છે, પરંતુ બોલિંગમાં હજુ પણ ખામીઓ છે. ફાઇનલ વર્ડિક્ટ: ટૉપ-4માં પહોંચી શકે છે. 2. પંજાબ કિંગ્સ
કેપ્ટન શ્રેયસની લીડરશિપ ગેમચેન્જર
ફર્ગ્યુસન શરૂઆતની મેચમાંથી બહાર કેપ્ટન
શ્રેયસ અય્યર પંજાબ પહેલા કોલકાતા અને દિલ્હીની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. ગયા સીઝનમાં PBKSને લીગ સ્ટેજમાં ટોચ પર પહોંચાડ્યું, પરંતુ ટીમ ફાઈનલમાં બેંગલુરુ સામે હારી ગઈ. કેપ્ટન શ્રેયસના નામે 87 IPL મેચમાં 48 જીત અને 35 હાર છે. તેણે પોતાની બેટિંગથી પણ લીડ કર્યું અને 175.07ના સ્ટ્રાઈક રેટથી 604 રન બનાવ્યા. ટીમ કોમ્બિનેશન
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન પેરેન્ટિંગ રજાના કારણે શરૂઆતની કેટલીક મેચ રમી શકશે નહીં. તેની જગ્યાએ ટીમ ઝેવિયર બાર્ટલેટ અથવા બેન દ્વારસુઇસને શરૂઆતની મેચ રમાડી શકે છે. પ્લેયર પરફોર્મન્સ
ટોપ ઓર્ડરે 163.03ના સ્ટ્રાઇક રેટ અને 34.14ની સરેરાશથી રન બનાવ્યા. મિડલ ઓર્ડરે 146.67ના સ્ટ્રાઇક રેટ અને 27.3ની સરેરાશથી સ્કોરિંગ કરી. પેસર્સે 8.35ની ઇકોનોમીથી 413 વિકેટ લીધી. જ્યારે સ્પિનર્સના નામે 8.12ની ઇકોનોમીથી 150 વિકેટ છે. સંભવિત ગેમ પ્લાન
પંજાબ પાસે 1 થી 8 નંબર સુધી વિસ્ફોટક બેટર છે, ટીમ આ વખતે વધુ આક્રમક અભિગમ સાથે બેટિંગ કરશે. ચહલ, અર્શદીપ, યાન્સેન, બ્રાર T20 બોલિંગમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે, તેથી ટીમ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ દબાણ બનાવવામાં જ ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ બેટિંગ અને બોલિંગ બંને ડિપાર્ટમેન્ટમાં પોતાને સપોર્ટ કરશે. નિષ્ણાતનો અભિપ્રાય
પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે કહ્યું કે પંજાબ પાસે બેકઅપ પ્લેયર્સ ખૂબ મજબૂત છે. 1-2 ખેલાડીઓ ઇજાગ્રસ્ત થાય તો પણ ટીમ કોમ્બિનેશન પર વધુ ફરક નહીં પડે. પેસ બોલિંગ ઓલરાઉન્ડર્સ ટીમની ડેપ્થ વધારી રહ્યા છે. લીડરશિપ ખૂબ મજબૂત છે, તેથી ટીમમાં ફરી એકવાર ટાઇટલ જીતવાની તાકાત છે. 3. સનરાઇઝર્સ હૈદરાબાદ
4 વખત 275+ રન બનાવ્યા
કમિન્સ શરૂઆતની મેચમાંથી બહાર કેપ્ટન
2024માં SRHને ફાઇનલ સુધી પહોંચાડનાર પેટ કમિન્સ આ વખતે પણ કેપ્ટનશીપ કરશે. ઈજાના કારણે શરૂઆતની મેચમાં તેની જગ્યાએ ઈશાન કિશન કમાન સંભાળશે. કમિન્સે 30 IPL મેચમાં કેપ્ટનશીપ કરી, 15માં જીત અને 14માં હાર મળી. ગયા સીઝનમાં 14 મેચમાં તેણે 9.06ની ઇકોનોમીથી 16 વિકેટ લીધી હતી. જોકે, ટીમ 7 મેચ હારીને છઠ્ઠા નંબર પર રહી. ટીમ કોમ્બિનેશન
કેપ્ટન કમિન્સ પોતે ઈજાના કારણે શરૂઆતની મેચ રમી શકશે નહીં. તેણે પોતે કહી દીધું છે કે તે IPLના સેકન્ડ હાફને ટાર્ગેટ કરી રહ્યો છે, એટલે કે તે 6 થી 8 મેચ ચૂકી શકે છે. ઓસ્ટ્રેલિયાના જ જેક એડવર્ડ્સ ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ડેવિડ પેનને સામેલ કર્યો છે. શ્રીલંકાનો ઈશાન મલિંગા પણ શરૂઆતી મેચ રમી શકશે નહીં. ખેલાડીનું પ્રદર્શન
ટોપ ઓર્ડરે 33.45ની સરેરાશ અને 177.36ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. મિડલ ઓર્ડરે 151.47ના સ્ટ્રાઈક રેટ અને 27.22ની સરેરાશથી સ્કોરિંગ કરી. પેસર્સે 8.39ની ઇકોનોમીથી 202 વિકેટ લીધી, જ્યારે સ્પિનર્સના નામે 8.43ની ઇકોનોમીથી 30 વિકેટ રહી. સંભવિત ગેમ પ્લાન
IPL ઇતિહાસના ટોપ-5માં 4 શ્રેષ્ઠ સ્કોર SRHના નામે છે, ટીમે ચારેય વખત 275થી વધુ રન બનાવ્યા છે. એટલું જ નહીં, હૈદરાબાદે ગત સીઝનમાં 246 રનનો ટાર્ગેટ પણ ચેઝ કર્યો હતો. ટીમ પાસે 1 થી 7 નંબર સુધી વિસ્ફોટક બેટર્સ છે, આ જ કારણ છે કે SRH આ વખતે પણ મોટામાં મોટો સ્કોર બનાવીને મેચ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ પોતાના બોલર્સ પર વધુ નિર્ભર રહેવા માંગતી નથી. નિષ્ણાતનો અભિપ્રાય
સાઉથ આફ્રિકાના દિગ્ગજ એબી ડિવિલિયર્સે કહ્યું કે અભિષેક શર્મા મહત્વના ખેલાડી રહેશે. જો તે ફોર્મમાં આવી ગયો તો ટીમ 10 વર્ષ પછી ટાઇટલ જીતી શકે છે. જ્યારે આકાશ ચોપરાએ કહ્યું કે SRH સામે 250 રનનો ટાર્ગેટ પણ સુરક્ષિત નથી, ટીમમાં તેને હાસલ કરવાની ક્ષમતા છે. જોકે, કમિન્સની ગેરહાજરીથી બોલિંગ નબળી પડી રહી છે. 4. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ
યશ દયાલ બહાર થયો, હેઝલવુડ ઇજાગ્રસ્ત
કોહલી-સોલ્ટ શાનદાર ફોર્મમાં કેપ્ટન
રજત પાટીદાર પોતાની IPL આગેવાનીની પ્રથમ જ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવનાર માત્ર ચોથો ખેલાડી છે. તેની કેપ્ટનશીપમાં ટીમે 13માંથી 10 મેચ જીતી અને માત્ર 3 ગુમાવી. રજતની ઈજાને કારણે 3 મેચમાં જીતેશ શર્મા પણ કેપ્ટન રહ્યો હતો. ટીમ લીગ સ્ટેજમાં બીજા નંબરે રહી. પાટીદારે 2025માં 143.78ના સ્ટ્રાઈક રેટથી 312 રન બનાવ્યા હતા. ટીમ કોમ્બિનેશન
2025માં ચેમ્પિયન બનાવનાર લેફ્ટ આર્મ પેસર યશ દયાલ આખી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તે અંગત કારણોસર IPL રમી શકશે નહીં. જ્યારે તેનો સાથ આપનાર ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ શરૂઆતની મેચ રમશે નહીં. બંને બોલરોના દમ પર RCBએ ઘણી મહત્વપૂર્ણ મેચ જીતી હતી. પ્લેયર પર્ફોર્મન્સ
ટોપ ઓર્ડરે 151.86ના સ્ટ્રાઈક રેટ અને 38.63ની સરેરાશથી રન બનાવ્યા. મિડલ ઓર્ડરે 157.24ના સ્ટ્રાઈક રેટ અને 27.96ની સરેરાશથી સ્કોરિંગ કરી. સ્પિનરોએ 7.57ની ઇકોનોમીથી 106 વિકેટ લીધી. જ્યારે પેસર્સના નામે 8.07ની ઇકોનોમીથી 171 વિકેટ રહી. સંભવિત ગેમ પ્લાન
બેંગલુરુની ટીમ બેટિંગ, બોલિંગ અને ઓલરાઉન્ડર ત્રણેય ડિપાર્ટમેન્ટમાં સંતુલિત છે. યશ દયાલની જગ્યાએ રાસિખ સલામનો સમાવેશ થશે. જો હેઝલવુડ જલદી પરત ફરશે તો ટીમ ફરી એકવાર વિનિંગ કોમ્બિનેશનને ફોલો કરવા લાગશે. કોહલી, સોલ્ટ અને પાટીદાર ફોર્મમાં છે. ટીમ મોટા સ્કોર બનાવવાને બદલે પીચ અને વિરોધી ટીમ પ્રમાણે રમવા પર ધ્યાન આપશે. નિષ્ણાતનો અભિપ્રાય
પૂર્વ ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને કહ્યું કે RCBની ટીમ ખૂબ જ સંતુલિત છે. તેમની પાસે બેકઅપ વિકલ્પો પણ ઉત્તમ છે. હેઝલવુડનું ન રમવું ચોક્કસપણે ચિંતાનો વિષય છે. જ્યારે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન એલેસ્ટેર કૂકે કહ્યું કે બેંગલુરુ ફરી એકવાર ટાઇટલ જીતવા માટે દાવેદાર છે. 5. લખનઉ સુપરજાયન્ટ્સ
ટૉપ-3નો સ્ટ્રાઈક રેટ 150
પંત ગઈ સીઝનમાં ફ્લોપ રહ્યો કેપ્ટન
રિષભ પંતને ગઈ સીઝનમાં જ લખનઉની કેપ્ટનશીપ મળી હતી. તે દિલ્હીની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. તેના નામે 57 મેચમાં 29 જીત અને 27 હાર છે. લખનઉ માટે તેની પ્રથમ સીઝન ખરાબ રહી હતી. તે 133.17ના સ્ટ્રાઈક રેટથી માત્ર 269 રન જ બનાવી શક્યો હતો. તેની ટીમે પણ 8 મેચ હારીને સાતમા નંબર પર ફિનિશ કર્યું હતું. ટીમ કોમ્બિનેશન
જોશ ઇંગ્લિસ એપ્રિલમાં લગ્ન કરવાનો છે. જો તે લાંબા સમય સુધી ઉપલબ્ધ ન રહે તો ટીમને ઓપનિંગ કોમ્બિનેશનમાં મુશ્કેલી પડી શકે છે. બધા ખેલાડીઓ ફિટ ચોક્કસ છે, પરંતુ ટીમમાં મોહસિન ખાન અને મયંક યાદવના રૂપમાં 2 એવા ખેલાડીઓ પણ છે, જેઓ સતત ઈજાઓથી ઝઝૂમતા રહે છે. પ્લેયર પર્ફોર્મન્સ
ટોપ ઓર્ડર બેટર્સે 33.71ની સરેરાશ અને 150.28ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. મિડલ ઓર્ડર બેટર્સે 143.95ના સ્ટ્રાઈક રેટ અને 26.57ની સરેરાશથી સ્કોરિંગ કરી. સ્પિનરોએ 7.94ની ઇકોનોમીથી 208 વિકેટ લીધી. જ્યારે પેસરોએ 8.39ની ઇકોનોમીથી 115 વિકેટ લીધી. સંભવિત ગેમ પ્લાન
લખનઉ સુપરજાયન્ટ્સના નિકોલસ પૂરને ગત સીઝનમાં 194ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. ગત સીઝનમાં ટીમ સંપૂર્ણપણે ટોપ ઓર્ડર પર નિર્ભર રહી હતી. આ સીઝનમાં LSGનું ધ્યાન તેના મિડલ ઓર્ડરના દમ પર બેટિંગ ડેપ્થ વધારવા પર રહેશે. શમી અને મોહસિન બોલિંગને મજબૂત બનાવી રહ્યા છે. તેથી ટીમ બોલિંગના દમ પર પણ મેચ જીતી શકે છે. નિષ્ણાતનો અભિપ્રાય
ઈરફાન પઠાણે કહ્યું કે લખનઉએ મયંક યાદવનો વધુ સારી રીતે ઉપયોગ કરવો પડશે. તે ઈજાઓથી ઝઝૂમે છે. તેથી તેને મહત્વપૂર્ણ મેચોમાં જ તકો આપવી જોઈએ. મયંક પોતાની ગતિથી કોઈપણ બેટરને પરેશાન કરી શકે છે. જ્યારે હેડ કોચ જસ્ટિન લેંગરનું માનવું છે કે પંત સારો લીડર છે. આ સીઝનમાં તે ટીમનું નસીબ બદલી નાખશે.
Read Original Article →