IPLમાં GT vs CSK મેચની ટિકિટોને લઈને નવી સૂચના જાહેર:ફેન્સ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે
IPL-2026માં BCCIએ જાહેર કરેલા નવા શેડ્યૂલને પગલે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચની નવ તારીખો જાહેર કરી હતી. અગાઉ આ મેચ 26 એપ્રિલે યોજાવાની હતી, જે હવે 21 મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમાશે. ત્યારે ગુજરાત ટાઇટન્સે ટિકિટ જાળવી રાખવા અથવા રિફંડ મેળવવા અંગેની મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. જે ફેન્સે BookMyShowથી ટિકિટ બુક કરાવી છે, તેમને SMS, વોટ્સએપ અથવા ઈ-મેઇલથી બે વિકલ્પ આપવામાં આવશે. કાં તો તેઓ નવી તારીખ માટે પોતાની ટિકિટ જાળવી રાખી શકે છે અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ પસંદ કરી શકે છે. રિફંડ પસંદ કરનાર ફેન્સને કામકાજના 8 થી 10 દિવસમાં રકમ પરત કરવામાં આવશે. આ માટે પ્રતિસાદ આપવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ, બપોરે 12 વાગ્યા સુધીની છે. જો આ સમયમર્યાદામાં કોઈ જવાબ નહીં મળે, તો ટિકિટ આપમેળે નવી તારીખ માટે કન્ફર્મ ગણી લેવામાં આવશે. ફિઝિકલ ટિકિટ ધરાવતા ચાહકો માટે રિફંડની પ્રક્રિયા ટિકિટ સફળતાપૂર્વક પરત કર્યા બાદ જ શરૂ કરવામાં આવશે. આ ટિકિટો કેવી રીતે પરત કરવી તેની વિગતવાર જાણકારી 21 એપ્રિલથી બુકમાયશોથી મેસેજ કે ઈ-મેઇલથી આપવામાં આવશે.
Read Original Article →