2023નું મહિલા અનામત બિલ 3 વર્ષ પછી લાગુ:અ઼ડધી રાતના નોટિફિકેશન પર વિપક્ષનો સવાલ- જ્યારે કાયદો હતો જ નહીં તો સુધારો કેવો

National4/17/2026, 10:00:33 AM
2023નું મહિલા અનામત બિલ 3 વર્ષ પછી લાગુ:અ઼ડધી રાતના નોટિફિકેશન પર વિપક્ષનો સવાલ- જ્યારે કાયદો હતો જ નહીં તો સુધારો કેવો
કેન્દ્ર સરકારે મહિલા અનામત કાયદો એટલે કે ‘નારી શક્તિ વંદન અધિનિયમ, 2023’ને 16 એપ્રિલ 2026થી લાગુ કરી દીધો છે. સંસદમાં ગુરુવારથી જ તેના સુધારા પર 3 દિવસ માટે ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન, અડધી રાત્રે મૂળ કાયદો લાગુ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. આનો અર્થ એ છે કે મહિલા અનામતના જે કાયદામાં સુધારાની વાત કરવામાં આવી રહી છે, તે લાગુ જ નહોતો થયો. સરકારી અધિકારીઓ અનુસાર, કાયદામાં સુધારો ત્યારે જ થઈ શકે છે જ્યારે તે લાગુ થઈ ગયો હોય. અચાનક સરકારી નોટિફિકેશનનું આ જ કારણ છે. જોકે, કાયદો લાગુ થયા હોવા છતાં સંસદ અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને 33% અનામત તરત નહીં મળે. આ 2027ની વસતી ગણતરી અને તેના આધારે થનારા સીમાંકન પછી જ લાગુ કરી શકાશે. આ દરમિયાન વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે મહિલા અનામત કાયદો લાગુ જ નહોતો થયો તો સરકાર તેમાં સુધારાનું બિલ કેવી રીતે લાવી. 2023માં કાયદો બન્યો હતો પરંતુ લાગુ થયો ન હતો મહિલા અનામત બિલ 2023માં લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી દીધી હતી, પરંતુ તેમ છતાં આ કાયદો બંધારણનો ભાગ બન્યો ન હતો. કારણ કે કોઈ કાયદો ત્યાં સુધી લાગુ માનવામાં આવતો નથી જ્યાં સુધી સરકાર રાજપત્ર (ગેઝેટ)માં તેને લાગુ કરવાની તારીખ સૂચિત ન કરે. હવે નોટિફિકેશન બહાર પડ્યા પછી કાયદો તો લાગુ થઈ ગયો છે, પરંતુ તેને વર્તમાન લોકસભામાં લાગુ કરી શકાશે નહીં. કાયદાની વર્તમાન જોગવાઈઓ અનુસાર, આગામી વસતી ગણતરી અને તેના આધારે સીમાંકન (બેઠકોનું પુનર્ગઠન) થશે. આ પછી જ અનામત લાગુ કરવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે અનામત 2034 સુધી લાગુ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. 2011ની વસતી ગણતરીના આધારે અનામત લાગુ કરવા માગે છે સરકાર જોકે, સરકાર 2011ની વસતી ગણતરીના આધારે સીમાંકન કરીને મહિલા અનામતને 2029ની ચૂંટણીથી લાગુ કરવા માંગે છે. આ માટે સરકારે સંસદમાં ત્રણ નવા બિલ રજૂ કર્યા છે: બંધારણ (131મો સુધારો) વિધેયક, 2026 સીમાંકન વિધેયક, 2026 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા વિધેયક, 2026. આ ત્રણ બિલ પસાર કરાવવા માટે સરકારે 16 એપ્રિલથી 18 એપ્રિલ 2026 સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. સરકારની આ જ ઉતાવળ પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યો છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર નવા સુધારા બિલ દ્વારા સીમાંકન કરવા માંગે છે, જેનાથી દક્ષિણના રાજ્યોને નુકસાન થશે. સરકાર પાસે કયા વિકલ્પો બચશે મોદી સરકાર લોકસભામાં બિલ પર વોટિંગ કરાવી શકે છે, જો બિલ પડી જાય છે, તો સરકાર તેનો દોષ વિપક્ષ પર ઢોળી શકે છે. વિપક્ષ સાથે સામાન્ય સહમતિ બનાવી શકે છે. વિધેયકોને સંસદીય સ્થાયી સમિતિ પાસે મોકલી શકે છે. સરકાર આ પહેલા વન નેશન, વકફ બિલ અને વન ઇલેક્શન બિલને પણ સંસદીય સમિતિને મોકલી ચૂકી છે. શું સરકાર લોકસભામાં ત્રણેય બિલ પાસ કરાવી શકશે બંધારણ સંશોધન પસાર કરાવવા માટે સરકારે બેક-ચેનલ વાતચીત કરવી પડશે. ભારતીય બંધારણના આર્ટિકલ 368 હેઠળ, બંધારણમાં સંશોધન માટે સંસદના બંને ગૃહોમાં વિશેષ બહુમતી જરૂરી હોય છે. કુલ સભ્યોની બહુમતી (50%થી વધુ) અને હાજર રહીને મતદાન કરનારા સભ્યોની બે-તૃતીયાંશ બહુમતી. લોકસભાની વર્તમાન સંખ્યા 540 (કુલ 543 માંથી) છે. 3 બેઠકો ખાલી છે. જો બધા સાંસદો મતદાન કરે, તો ઓછામાં ઓછા 360 સાંસદો (બે તૃતીયાંશ)ને તેના પક્ષમાં મત આપવો પડશે. વર્તમાનમાં, ભાજપ-નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે 292 સાંસદો છે, જ્યારે INDIA (વિપક્ષ) પાસે 233 સાંસદો છે. 15 સાંસદો કોઈ ગઠબંધન સાથે નથી. રિજિજુ બોલ્યા- મહિલા અનામત બિલને કાયદો બનાવ્યો, જેથી સુધારો થઈ શકે કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ બોલ્યા- 'સરકાર મહિલા અનામત કાયદામાં ફેરફાર (સુધારો) કરવાની તૈયારી કરી રહી છે. જે જૂનો કાયદો છે, તે હજુ સુધી લાગુ થયો ન હતો. હવે સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેથી તે કાયદાને લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકાય. પછી તેનો સુધારો થઈ શકે.' કલ્યાણ બેનર્જી બોલ્યા- કાયદો લાવ્યા નહીં, સુધારો શરૂ કરી દીધો હતો કલ્યાણ બેનર્જીએ કહ્યું- કેન્દ્ર સરકાર મહિલા અનામતમાં સુધારા સંબંધિત બિલ લાવી છે. પરંતુ જ્યારે કાયદો લાગુ જ ન થયો હોય તો તેમાં કેવો સુધારો? તેથી મોડી રાત્રે તેમણે 2023માં પસાર થયેલા મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું.
Read Original Article →