ઉન્નાવમાં એક્સપ્રેસ-વે પર AC બસ પલટી:પોલીસકર્મી-કેદી સહિત 5ના મોત, એકનો પગ કપાઈ ગયો, બારીઓમાંથી મુસાફરો પડ્યા, દિલ્હીથી બિહાર જઈ રહી હતી

National5/26/2026, 3:13:29 AM
ઉન્નાવમાં એક્સપ્રેસ-વે પર AC બસ પલટી:પોલીસકર્મી-કેદી સહિત 5ના મોત, એકનો પગ કપાઈ ગયો, બારીઓમાંથી મુસાફરો પડ્યા, દિલ્હીથી બિહાર જઈ રહી હતી
યુપીના ઉન્નાવમાં મંગળવારે સવારે લગભગ 5 વાગ્યે ડબલ ડેકર AC બસ બેકાબુ થઈને લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર પલટી ગઈ. આ અકસ્માતમાં એક પોલીસકર્મી અને એક કેદી સહિત પાંચ મુસાફરોનાં મોત થયાં. 3 પોલીસકર્મી સહિત 15 લોકો ઘાયલ થયા છે. દિલ્હીથી બિહાર જઈ રહેલી બસમાં લગભગ 30 મુસાફરો સવાર હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડ્રાઈવરને ઝોકું આવી જવાથી અકસ્માત થયો હતો. નજરેજોનાર મુજબ, બસ પુરપાટ ઝડપે જઈ રહી હતી. અચાનક ડ્રાઈવરે બસ પરથી કન્ટ્રોલ ગુમાવી દીધો. બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ અને રેલિંગ પર લટકી ગઈ. આના કારણે ઘણા મુસાફરો બસની બારીઓમાંથી એક્સપ્રેસ-વે નીચે પડી ગયા. એકનો પગ કપાઈને અલગ થઈ ગયો. આ અકસ્માત ઔરાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્સપ્રેસ-વેના કિલોમીટર નંબર 262 પાસે થયો હતો. અકસ્માત બાદ ચીસાચીસ મચી ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ગંભીર ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટર અને અન્ય ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ બિહારના સીવાન પોલીસ લાઈનમાં તહેનાત પોલીસકર્મી રામચંદ્ર રામ (59) અને ગુરુગ્રામ નિવાસી કેદી છત્તરપાલ સિંહ તોમર (59) તરીકે થઈ છે. ત્રણ મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી. જાણકારી અનુસાર, સીવાન પોલીસની ટીમ 24 મેના રોજ કેદીને ગુરુગ્રામ કોર્ટમાં રજૂ કરવા માટે લઈ ગઈ હતી. અકસ્માત પછીની તસવીરો જુઓ… ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા આ અકસ્માતને કારણે ભારે હોબાળો મચી ગયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર આપ્યા પછી, ગંભીર રીતે ઘાયલોને લખનઉ ટ્રોમા સેન્ટર અને અન્યને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
Read Original Article →