PM મોદી પર આચારસંહિતા ઉલ્લંઘનનો આરોપ:ચૂંટણી પંચને 700 નાગરિકોએ પત્ર લખ્યો, તમિલનાડુમાં ₹1,200 કરોડ+ના રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત

National4/21/2026, 3:57:33 AM
PM મોદી પર આચારસંહિતા ઉલ્લંઘનનો આરોપ:ચૂંટણી પંચને 700 નાગરિકોએ પત્ર લખ્યો, તમિલનાડુમાં ₹1,200 કરોડ+ના રોકડ-સોનું અને ફ્રીબીઝ જપ્ત
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરતા રાજ્યભરમાં 1,200 કરોડ રૂપિયાથી વધુની રોકડ, સોનું-ચાંદી, ફ્રીબીઝ, દારૂ અને ડ્રગ્સ જપ્ત કર્યા છે. તેમાં ₹169.85 કરોડ રોકડ, ₹650.87 કરોડના સોના-ચાંદીનો સમાવેશ થાય છે. બીજી તરફ, મહિલા અનામત બિલને લઈને 18 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દેશને સંબોધનને લઈને વિવાદ ઊભો થયો છે. 700થી વધુ નાગરિકોએ ચૂંટણી પંચને પત્ર લખીને તેને આચારસંહિતા (MCC)નો ભંગ ગણાવ્યો છે. પત્ર લખનારાઓમાં પૂર્વ અમલદારો, કાર્યકરો અને પત્રકારોનો સમાવેશ થાય છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ સંબોધન દૂરદર્શન, સંસદ ટીવી અને ઓલ ઇન્ડિયા રેડિયો જેવા સરકારી પ્લેટફોર્મ પર પ્રસારિત થયું હતું, જે ચૂંટણી દરમિયાન પક્ષપાતી પ્રચાર સમાન છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે જો આ પ્રસારણને મંજૂરી આપવામાં આવી હતી, તો અન્ય રાજકીય પક્ષોને પણ સમાન સમય આપવો જોઈએ. ચૂંટણી સંબંધિત 3 અપડેટ્સ…
Read Original Article →