પટિયાલામાં વાદળી ડ્રમમાં યુવતીની લાશ મળી:ઢાંકણું બંધ કરીને સૂમસામ જગ્યાએ ફેંકી દીધું; હાથ પર નેહા અને દિલનું ટેટૂ, ચહેરા પર ઈજા
પંજાબના પટિયાલામાં મંગળવારે વાદળી રંગના ડ્રમમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો. આ ડ્રમ રેલવે કોલોનીમાં પડ્યું હતું. હત્યારાઓએ મૃતદેહને ડ્રમની અંદર ધકેલી દીધો અને ઉપર લાલ રંગનું ઢાંકણું લગાવી દીધું, જેથી કોઈને શંકા ન થાય. માહિતી મળતાં જ પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી. યુવતીના એક હાથ પર "નેહા" લખેલું છે, જ્યારે બીજા હાથ પર દિલનું ટેટૂ બનેલું છે. આ ટેટૂની અંદર અંગ્રેજી અક્ષરો 'N' અને 'A' કોતરેલા છે. યુવતીના ચહેરા પર હળવા ઈજાના નિશાન પણ છે. મૃતદેહને કબજે કરીને રાજેન્દ્ર હોસ્પિટલ મોકલવામાં આવ્યો. પોલીસ યુવતીની ઓળખ કરાવવાનો પ્રયાસ કરી રહી છે. કચરો ઉઠાવનારે મૃતદેહ જોયો, પોલીસને જાણ કરી લુધિયાણામાં ડીસીડબ્લ્યુ રોડ ફ્લાયઓવર નજીક લાગેલા કચરાના ઢગલા પર એક પ્લાસ્ટિકના ડ્રમમાંથી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. ASI ગુરવિંદર સિંહે જણાવ્યું કે મંગળવારે સવારે લગભગ સવા 5 વાગ્યે કચરો ઉપાડનાર વ્યક્તિએ ડ્રમને ખોલીને તપાસ કરતા તેમાંથી મૃતદેહ મળ્યો. તેણે પોલીસને આ મામલે જાણ કરી. ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લેવામાં આવ્યો. અન્ય કોઈ જગ્યાએ હત્યા કરાઈ હોવાની શંકા પોલીસને આશંકા છે કે યુવતીની હત્યા અન્ય કોઈ જગ્યાએ કરવામાં આવી હતી અને બાદમાં પુરાવા નષ્ટ કરવાના ઈરાદે મૃતદેહને ઠેકાણે પાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું. આરોપીઓ ડ્રમને રેલવે કોલોની નજીક એક નિર્જન જગ્યાએ લાવીને ફેંકી ગયા. પોલીસ હવે એ શોધવામાં લાગી છે કે મૃતદેહને ત્યાં સુધી કયા વાહનથી લાવવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કેટલા લોકો સામેલ હતા. તપાસ અધિકારીએ કહ્યું- મામલો પ્રેમ પ્રકરણનો લાગી રહ્યો છે તપાસ અધિકારી ASI ગુરબિંદર સિંહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં આ મામલો પ્રેમ પ્રકરણ સાથે જોડાયેલો હોવાનું જણાઈ રહ્યું છે. હાલમાં, પોલીસની પ્રથમ પ્રાથમિકતા યુવતીની ઓળખ કરવી છે. આ માટે આસપાસના પોલીસ સ્ટેશનોમાં યુવતીનો ફોટો સર્ક્યુલેટ કરવામાં આવ્યો છે. ઓળખ થયા બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, જેથી મૃત્યુના સાચા કારણો જાણી શકાશે. આરોપીઓની ધરપકડ માટે બે ટીમો બનાવવામાં આવી હત્યારાઓની ઝડપી ધરપકડ માટે પોલીસે બે ટીમોની રચના કરી છે. ઘટનાસ્થળની આસપાસ લાગેલા બે સીસીટીવી કેમેરાની ઓળખ કરવામાં આવી છે. હાલમાં, પોલીસ આ કેમેરાના ફૂટેજ ચકાસી રહી છે, જેથી એ જાણી શકાય કે ડ્રમ ત્યાં કોણ, ક્યારે અને કેવી રીતે લાવ્યું હતું. ગયા વર્ષે લુધિયાણામાં ડ્રમમાંથી લાશ મળી હતી લુધિયાણાના શેરપુર વિસ્તારમાં 25 જૂન 2025ના રોજ એક ખાલી પ્લોટમાંથી વાદળી ડ્રમમાં એક વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. મૃતદેહને પ્લાસ્ટિકના કોથળામાં લપેટવામાં આવ્યો હતો અને મૃતકના હાથ-પગ અને ગળું દોરડાથી બાંધેલા હતા. પ્રાથમિક તપાસમાં મૃતદેહની હાલત ખૂબ જ ખરાબ હતી. બાદમાં મૃતકની ઓળખ મનોજ ઉર્ફે રાજુ તરીકે થઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એક મહિલા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દારૂના નશામાં આરોપીઓએ માર માર્યો, જેના કારણે મનોજનું મોત થયું હતું. મૃતદેહને ઠેકાણે પાડવા માટે એક નવા વાદળી ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Read Original Article →