CBIએ કહ્યું- પુણેના શિક્ષકે NEET પેપર ગોઠવ્યું:3 આરોપી 15 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં; SCએ કહ્યું- રી-એક્ઝામ પેન-પેપર મોડમાં જ થશે
NEET પેપર લીક કેસમાં CBIએ સોમવારે જણાવ્યું કે પુણેની એક મેડિકલ એકેડમીમાં ફિઝિક્સ ફેકલ્ટી રહેલા હર્ષદકુમાર શાહે ક્વેશ્ચન પેપર ગોઠવવામાં ભૂમિકા ભજવી હતી. એજન્સી અનુસાર, શાહે ફિઝિક્સનું પ્રશ્નપત્ર મનીષા હવાલદાર સુધી પહોંચાડ્યું હતું. તપાસમાં આ જ પેપર મનીષાના મોબાઈલમાંથી મળી આવ્યું હતું. આ જ કેસમાં ધરપકડ કરાયેલા ડો. મનોજ શિરુરે, હર્ષદકુમાર શાહ અને મનીષા હવાલદારને સોમવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને 15 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. CBIએ કોર્ટને જણાવ્યું કે ડો. મનોજ શિરુરે પેપર લીક સાથે સંકળાયેલા નેટવર્કનો ભાગ હતા. એજન્સીનો દાવો છે કે તેમણે મુખ્ય આરોપી શિવરાજ મોટેગાંવકર પાસેથી 5 લાખ રૂપિયા લીધા હતા. આ રકમ તેમની બહેનના ઘરેથી મળી આવી હતી. દેશભરમાં 3 મેના રોજ NEET-UG પરીક્ષા યોજાઈ હતી. 7 મેની સાંજે પેપર લીકના સમાચાર સામે આવ્યા હતા. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી. 21 જૂને રી-એક્ઝામ લેવાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું- NEET રી-એક્ઝામ પેન-પેપર મોડમાં જ થશે સુપ્રીમ કોર્ટે 21 જૂને યોજાનારી NEET રી-એક્ઝામને કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT)માં કરાવવાની માગ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટે કેસની આગામી સુનાવણી જુલાઈમાં નક્કી કરી છે. આથી, 21 જૂને યોજાનારી પરીક્ષા હાલ પૂરતી પેન-પેપરથી જ થશે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ RJD સાંસદ સુધાકર સિંહની અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદારના વકીલે NEETની ફરીથી પરીક્ષા કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટમાં કરાવવાની માંગ કરી હતી. દેશભરમાં 3 મેના રોજ NEET-UG પરીક્ષા યોજાઈ હતી. 7 મેની સાંજે પેપર લીકની ખબર સામે આવી હતી. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. 21 જૂને રી-એક્ઝામ યોજાશે. અરજીમાં 4 મોટા ફેરફારની માગ સંસદીય સમિતિમાં NTAના સ્થાને નવી સંસ્થાનો પ્રસ્તાવ આ તરફ સંસદની શિક્ષણ, મહિલા, બાળ, યુવા અને રમતગમત બાબતોની સ્થાયી સમિતિની બેઠક સોમવારે યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે કરી હતી. તેમાં NEET પરીક્ષા, NTA અને પેન-પેપર વિરુદ્ધ CBT વિશે ચર્ચા થઈ હતી. યુનાઈટેડ ડોકટર્સ ફ્રન્ટ (UDF) એ સમિતિને જણાવ્યું કે NEET સંબંધિત પ્રશ્નો ફક્ત પરીક્ષાની પદ્ધતિ પૂરતા મર્યાદિત નથી, પરંતુ પારદર્શિતા, જવાબદારી અને પરીક્ષા લેતી એજન્સીની વિશ્વસનીયતા સાથે પણ જોડાયેલા છે. સંગઠને NTA ને ભંગ કરીને સંસદના કાયદા હેઠળ નવી રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થા બનાવવાની માંગ કરી. UDF એ એમ પણ કહ્યું કે NEET-UG 2026 પેપર લીકની તપાસને 2024 ની પરીક્ષા સાથે સંકળાયેલા વિવાદો સાથે જોડીને જોવી જોઈએ. સંગઠને સમગ્ર મામલાની સમયબદ્ધ અને પારદર્શક તપાસની માંગ કરી. NEET પેપર લીકમાં અત્યાર સુધીમાં 13 ની ધરપકડ, 21 જૂને પરીક્ષા NEET-UG પરીક્ષા 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 સેન્ટરોમાં યોજાઈ હતી. તેમાં લગભગ 23 લાખ ઉમેદવારો સામેલ થયા હતા. NTA અનુસાર, 7 મેની સાંજે પરીક્ષામાં ગેરરીતિની સૂચના મળી હતી. આ પછી મામલો કેન્દ્રીય એજન્સીઓને સોંપવામાં આવ્યો. 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી અને રી-એક્ઝામનો નિર્ણય લેવામાં આવ્યો. 15 મેના રોજ શિક્ષણ મંત્રાલય અને NTA એ NEET રી-એક્ઝામની તારીખ 21 મેના રોજ હોવાની જાહેરાત કરી. આ મામલાની તપાસ CBI કરી રહી છે. અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. NEETથી મેડિકલ કોલેજમાં એડમિશન નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસમાં એડમિશન માટે લેવાતી રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા છે. તેની શરૂઆત 2013માં થઈ હતી. આ પરીક્ષા દ્વારા દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં MBBS, BDS, આયુષ (BAMS, BHMS) અને નર્સિંગ જેવા કોર્સિસમાં પ્રવેશ મળે છે, જેમાં AIIMS અને JIPMER જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ પણ સામેલ છે. દેશમાં લગભગ 1 લાખથી વધુ MBBS અને 27000થી વધુ BDS સીટો છે.
Read Original Article →