મિર્ઝાપુરમાં મોર્નિંગ વોક પર નીકળેલા વકીલની હત્યા:બે હુમલાખોરો બાઇક પર આવ્યા અને છાતીમાં ગોળી મારી; લોકો પકડવા દોડ્યા તો તમંચો તાણ્યો
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં શનિવારે સવારે 7.15 વાગ્યે મોર્નિંગ વોક પર નીકળેલા સિનિયર વકીલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. તેઓએ તેમને રસ્તામાં રોક્યા અને છાતીમાં ગોળી મારી દીધી. લોહીલુહાણ વકીલ જમીન પર ઢળી પડ્યા. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આખી ઘટના CCTVમાં રેકોર્ડ થઈ ગઈ હતી. વકીલનું નામ રાજીવ સિંહ (45) છે. તેમની પત્ની સરપંચ છે. ઘટના બાદ ભાગતી વખતે હુમલાખોરોની બાઇક બંધ પડી ગઈ હતી. લોકો તેમને પકડવા દોડ્યા ત્યારે તેઓએ તમંચો તાણી દીધો. ડરીને લોકો પાછળ હટી ગયા. આ ઘટના જિલ્લા મુખ્યાલયથી 2 કિલોમીટર દૂર કટરા કોતવાલી વિસ્તારના કતવારુ કા પુરા મહોલ્લાની છે. એસપી અપર્ણા રજત કૌશિકે જણાવ્યું કે, ચૂંટણીની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. મૃતક રાજીવ સિંહની પત્ની સરપંચ છે. હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. તે પણ વકીલના ગામમાં સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે. 7 મહિના પહેલા પણ હુમલાખોરે વકીલ સાથે મારપીટ કરી હતી. ધરપકડ માટે ટીમો બનાવવામાં આવી છે. હુમલાખોરની બાઇક ઘણી વાર સુધી સ્ટાર્ટ ન થઈ… વકીલની પત્ની ગામમાં સરપંચ, પરિવાર શહેરમાં રહે છે વિંધ્યાચલ પોલીસ સ્ટેશનના દેવરી ગામના રહેવાસી રાજીવ સિંહ ઉર્ફે રિંકુ કટરા કોતવાલીમાં રહેતા હતા. 2011માં અહીં જમીન ખરીદીને મકાન બનાવ્યું હતું. બાળકોના અભ્યાસને કારણે અહીં જ રહેતા હતા. અહીંથી જ કોર્ટ આવતા-જતા હતા. ગામમાં પત્ની પ્રતિભા સિંહ (40) સરપંચ છે. આ કારણે ગામમાં પણ આવન-જાવન રહેતું હતું. તેમના 2 પુત્રો ઓમ (18) અને સાર્થક (12) છે. એસપી અપર્ણા રજતે જણાવ્યું- રાજીવ સવારે ઘરેથી મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ઘરથી થોડે જ દૂર પહોંચ્યા હતા, ત્યારે બાઇક સવાર બદમાશો હત્યા કરીને ફરાર થઈ ગયા. આસપાસના લોકો ઘાયલ વકીલને લઈને હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને તપાસ શરૂ કરી છે. આરોપી પણ સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે એસએસપીએ જણાવ્યું- મુખ્ય આરોપીની ઓળખ થઈ ગઈ છે. મુખ્ય આરોપી રાજેન્દ્ર સોનકર પણ વકીલના ગામ દેવરીનો રહેવાસી છે. તે સરપંચની ચૂંટણી લડી ચૂક્યો છે. તેની રાજીવ સિંહની પત્ની પ્રતિભા સિંહ સાથે ચૂંટણીની અદાવત ચાલી રહી હતી. જોકે, બીજા આરોપીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. રેકી કરીને આરોપીએ ગુનો આચર્યો પોલીસના જણાવ્યા અનુસાર, રાજેન્દ્ર સોનકર પણ કતવારુ કા પુરા એટલે કે વકીલના ઘર પાસે ભાડે રહે છે. તેને પહેલેથી જ ખબર હતી કે રાજીવ દરરોજ સવારે કેટલા વાગ્યે મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળે છે. તેણે સંપૂર્ણ કાવતરું રચીને ગુનો આચર્યો. 7 મહિના પહેલા પણ વકીલ પર તમંચો તાણ્યો હતો પડોશીઓએ જણાવ્યું કે - રાજેન્દ્ર સોનકરે લગભગ 7 મહિના પહેલા પણ રાજીવ સિંહ પર રસ્તામાં રોકીને હુમલો કર્યો હતો. તેણે બાઇકની ડીકીમાંથી તમંચો કાઢીને રાજીવ સિંહ પર તાણ્યો હતો અને મારપીટ કરી હતી. રાજીવ સિંહે આ મામલે કટરા કોતવાલીમાં ફરિયાદ પણ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા સમયસર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
Read Original Article →