INS તારાગિરી નેવીમાં સામેલ થયું:આ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલ અને એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ; રાજનાથે કહ્યું- સેનાની તાકાત વધશે
INS તારાગીરી આજે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળમાં સામેલ થયું. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ સમારોહમાં હાજર રહ્યા. તેમણે કહ્યું કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે, પછી ભલે તે રેસ્ક્યૂ ઓપરેશન હોય કે માનવતાવાદી સહાય પૂરી પાડવાની હોય, આપણી નેવી હંમેશા આગળ હોય છે. INS તારાગિરીનું કમિશનિંગ આપણી નેવીની તાકાતમાં વધુ વધારો કરશે. તારાગીરીને મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા પ્રોજેક્ટ 17-એ હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજ બ્રહ્મોસ સુપરસોનિક મિસાઇલ, MFSTAR (રડાર), મીડિયમ રેન્જની સર્ફેસ ટુ એર મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમથી સજ્જ છે. તે 76mm ગન, 30mm અને 12.7mm ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ્સ સાથે એન્ટિ-સબમરીન રોકેટ અને ટોર્પિડોથી પણ સજ્જ છે. ભારતની સ્વદેશી પરમાણુ સબમરીન, અરિદમનને પણ નેવીમાં સામેલ કરવામાં આવી છે. આ નીલગિરિ-ક્લાસનું ચોથું યુદ્ધ જહાજ છે. ભારતના નીલગિરિ ક્લાસ (પ્રોજેક્ટ 17A)માં કુલ 7 સ્ટીલ્થ ફ્રિગેટ્સ બનાવવામાં આવી રહ્યા છે. તારાગિરિ આ ક્લાસનું ચોથું યુદ્ધ જહાજ છે. રક્ષા મંત્રાલય અનુસાર, પ્રોજેક્ટ 17-એ યુદ્ધ જહાજને ભવિષ્યમાં આવનારા દરિયાઈ પડકારોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
‘તારાગીરી’ એ જ નામવાળા જૂના યુદ્ધ જહાજનું એડવાન્સ્ડ વર્ઝન છે, જેણે 1980 થી 2013 સુધી નૌકાદળમાં 33 વર્ષ સુધી સેવા આપી હતી. નવી ‘તારાગીરી’ હાઈટેક સ્ટેલ્થ ટેકનોલોજી, બહેતર મારક ક્ષમતા, અત્યાધુનિક ઓટોમેશન અને મજબૂત સર્વાઇવેબિલિટીથી સજ્જ છે. આ યુદ્ધ જહાજને વોરશિપ ડિઝાઇન બ્યુરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 17-એ ના યુદ્ધ જહાજમાં અગાઉના પી-17 (શિવાલિક) ક્લાસની તુલનામાં વધુ આધુનિક હથિયારો અને સેન્સર સિસ્ટમ લગાવવામાં આવ્યા છે. 2026 સુધીમાં નૌકાદળને 3 યુદ્ધ જહાજો સોંપવામાં આવશે છેલ્લા 11 મહિનામાં નૌકાદળને પ્રોજેક્ટ 17-એનું આ ચોથું જહાજ મળ્યું છે. પહેલા બે જહાજોના અનુભવને કારણે 'તારાગિરી'નો નિર્માણ સમય ઘટાડીને 81 મહિના કરવામાં આવ્યો, જ્યારે શરૂઆતના જહાજ 'નીલગિરિ'ને 93 મહિના લાગ્યા હતા. પ્રોજેક્ટના બાકીના ત્રણ જહાજો 2026ના ઓગસ્ટ સુધીમાં તબક્કાવાર રીતે નૌકાદળને સોંપવામાં આવશે. સંરક્ષણ મંત્રાલય અનુસાર, આ પ્રોજેક્ટમાં 75 ટકા સ્વદેશી ભાગીદારી છે અને તેમાં 200થી વધુ MSME જોડાયેલા છે.
Read Original Article →