કાર હવામાં ઉછળી પછી 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, VIDEO:હિમાચલના ચિંતપૂર્ણીમાં ભયાનક અકસ્માત, બે લોકોના દર્દનાક મોત
હિમાચલ પ્રદેશના ચિંતપૂર્ણી વિસ્તારમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં પંજાબના બે શ્રદ્ધાળુઓના કરૂણ મોત થયા છે. આ અકસ્માત ઉના જિલ્લાના ભરવાઈં વિસ્તારમાં તે સમયે થયો જ્યારે એક કાર અંદાજે 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી અને તેમાં આગ લાગી ગઈ. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે કોઈ બોલિવૂડ ફિલ્મના સ્ટંટ સીન જેવો લાગી રહ્યો છે. એક પૂરઝડપે આવતી કાર પહાડી રસ્તા પર સીધી ઊંડી ખીણમાં જઈને પડી હતી. આ દરમિયાન કારની ઝડપ ખૂબ વધારે હતી. એવું લાગી રહ્યું છે કે જાણે ડ્રાઈવર ફિલ્મનો કોઈ ખતરનાક સ્ટંટ કરી રહ્યો હોય. હવામાં ઉછળી કાર અને પછી ખીણમાં પડી અકસ્માતના CCTVમાં જોઈ શકાય છે કે તેજ રફ્તાર કાર હવામાં ઉછળી અને પછી સીધી ખીણમાં જઈને પડી. 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકેલી લુધિયાણા નંબરની આ કાર ચિંતપૂર્ણીથી મુબારકપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક ટાયર ફાટવાને કારણે ડ્રાઈવરે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર સીધી ઊંડી ખીણમાં પડી હતી. ખીણમાં પડ્યા બાદ કારમાં આગ લાગી ગઈ અને તેમાં સવાર બંને લોકો જીવતા સળગી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે કારમાં સવાર લોકો પંજાબથી આવેલા શ્રદ્ધાળુઓ હતા, જેઓ ચિંતપૂર્ણી મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. હાલમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી. ખીણમાં પડ્યા બાદ કારમાં આગ લાગી ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કારને હવામાં ઉછળતા અને ખીણમાં પડતા જોઈ શકાય છે. અકસ્માત બાદ વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સ્ટેશનના પ્રભારી જયરામ શર્મા પોતાની ટીમ સાથે રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ---------------------------------------- આ સમાચાર પણ વાંચો… દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ચાલતી કારમાં આગ, 5 જીવતા સળગી ગયા:ગાડીમાંથી ફક્ત બળી ગયેલા હાડકાં મળ્યા, ડ્રાઈવરે કૂદીને જીવ બચાવ્યો અલવરના મૌજપુરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ચાલતી કારમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટનામાં 5 લોકો જીવતા સળગી ગયા. બચાવ ટીમને આગ ઓલવ્યા બાદ ગાડીમાંથી માત્ર હાડકાં મળ્યા છે. કાર ડ્રાઈવર આગ લાગતા જ બહાર કૂદી ગયો હતો. તેને ગંભીર હાલતમાં જયપુર રિફર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, કારમાં સવાર લોકો મધ્યપ્રદેશના શ્યોપુરના રહેવાસી હતા. તેઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને શ્યોપુર પાછા ફરી રહ્યા હતા. કારમાં ત્રણ મહિલાઓ, એક બાળકી અને એક પુરુષ સવાર હતા, જેમના ઘટનાસ્થળે જ જીવતા સળગી જવાથી મોત નીપજ્યાં હતાં. પોલીસને આશંકા છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આ અકસ્માત બુધવારે રાત્રે 11 વાગ્યે થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →