હિમાચલમાં બેંગલુરુના 8 પ્રવાસીઓના મોત:ગાડી ખીણમાં ખાબકી, મૃતદેહો બહાર કાઢવામાં આવશે; બરફ જોવા સાચ પાસ જતી વખતે અકસ્માત

National5/31/2026, 3:26:45 AM
હિમાચલમાં બેંગલુરુના 8 પ્રવાસીઓના મોત:ગાડી ખીણમાં ખાબકી, મૃતદેહો બહાર કાઢવામાં આવશે; બરફ જોવા સાચ પાસ જતી વખતે અકસ્માત
હિમાચલ પ્રદેશના ચંબાના 'બૈરાગઢ-સાચ પાસ-કિલાડ' માર્ગ પર શુક્રવારે રાત્રે એક ગાડી દુર્ઘટનાગ્રસ્ત થતાં બે બાળકો સહિત આઠ લોકોના મોત થયા. તેમાં બેંગલુરુથી આવેલા પ્રવાસીઓ સવાર હતા. તેમની ગાડી રસ્તા પરથી લગભગ 500 મીટર નીચે ઊંડી ખીણમાં પડી હતી. પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. માહિતી અનુસાર- બેંગલુરુથી આવેલા પ્રવાસીઓના બે પરિવારોએ ચંબાના ડલહૌઝીથી શુક્રવારે એક ટેક્સી (મારુતિ અર્ટિગા કાર) બુક કરાવી. બંને પરિવારો બપોરે 12 વાગ્યાની આસપાસ સાચ પાસ જોત વિસ્તારમાં બરફ અને પહાડોનો આનંદ લેવા નીકળી પડ્યા. ઘણા સમય પછી જ્યારે ટેક્સી ડલહૌઝી પાછી ન ફરી, ત્યારે ગાડીના માલિકને આશંકા થઈ. ચિંતિત માલિકે ગાડીની GPS લોકેશન ચેક કરી. GPS અનુસાર - વાહન કાલાવન વિસ્તાર પાસે એક જ જગ્યાએ સ્થિર દેખાઈ રહ્યું હતું. તેમાં કોઈ પણ પ્રકારની હલચલ જોવા મળી રહી ન હતી. ત્યારબાદ સ્થાનિક સ્તરે શોધખોળ કરવામાં આવી. શનિવારે બપોર પછી અકસ્માતની જાણ થઈ. ત્યારે સ્થાનિક પ્રશાસનને જાણ કરવામાં આવી. પરંતુ અતિ દુર્ગમ વિસ્તાર, ઊંચી અને ખતરનાક પહાડી અને ખરાબ હવામાનને કારણે ગઈકાલે મૃતદેહોને ખીણમાંથી બહાર કાઢી શકાયા ન હતા. હ્યુમન ચેઈન બનાવી અને દોરડાના સહારે મૃતદેહોને બહાર કાઢવામાં આવી રહ્યા છે આથી મૃતકોના મૃતદેહોને આજે ખીણમાંથી બહાર કાઢવામાં આવશે અને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપવામાં આવશે. સ્થાનિક પ્રશાસને મૃતદેહોને બહાર કાઢવા માટે અભિયાન શરૂ કરી દીધું છે. મૃતદેહોને ખીણમાંથી હ્યુમન ચેઈન બનાવી અને દોરડા બાંધીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અતિ દુર્ગમ વિસ્તાર હોવાને કારણે વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ નથી. આના કારણે પણ પ્રશાસન રેસ્ક્યુ ટીમ સાથે સંપર્ક કરી શકતું નથી. જ્યારે, દુર્ઘટનાના કારણો હજુ સુધી જાણી શકાયા નથી.
Read Original Article →