કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 6 જૂને ભારત આવશે:શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈ જંતર-મંતર પર પ્રદર્શન કરશે, ઈન્સ્ટા ફોલોઅર્સ 2 કરોડને પાર

National6/1/2026, 9:20:57 AM
કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર 6 જૂને ભારત આવશે:શિક્ષણ મંત્રીના રાજીનામાને લઈ જંતર-મંતર પર પ્રદર્શન કરશે, ઈન્સ્ટા ફોલોઅર્સ 2 કરોડને પાર
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે 6 જૂને ભારત પરત ફરશે. તેઓ દિલ્હીના જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરશે. જેમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ કરશે. દીપકેએ પોતે આ માહિતી X ના કોકરોચ ઇઝ બેક એકાઉન્ટ પર આપી. કોકરોચ ઇઝ બેક એકાઉન્ટનું X પર ટ્વીટ: અભિજીત અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે, AAPમાં કામ કરી ચૂક્યા છે 30 વર્ષના અભિજીત દિપકે મહારાષ્ટ્રના સંભાજી નગરના રહેવાસી ડિજિટલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ છે. રિપોર્ટ્સ અનુસાર, અભિજીતે પુણેથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં પબ્લિક રિલેશનમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યા છે. અભિજીત 2020 થી 2022 સુધી કેજરીવાલની આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ રહ્યા છે. 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં અભિજીત AAP માટે વાઇરલ મીમ આધારિત ઓનલાઈન પ્રચાર સામગ્રી બનાવતા હતા. એક ઇન્ટરવ્યુમાં અભિજીતે જણાવ્યું કે તેમણે અંગત જીવન અને આર્થિક સ્થિરતા માટે AAP છોડીને બોસ્ટન યુનિવર્સિટીમાં અરજી કરી હતી. એડમિશન મળતાં તેઓ અમેરિકા શિફ્ટ થઈ ગયા.અભિજીત ખેડૂત આંદોલનથી લઈને મોંઘવારી જેવા રાજકીય મુદ્દાઓ પર X એકાઉન્ટ પર કેન્દ્ર સરકાર અને પીએમ પર નિશાન સાધતા રહ્યા છે. કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ હાલ બંધ દિલ્હી હાઈકોર્ટે 29 મેના રોજ કોકરોચ જનતા પાર્ટીના X એકાઉન્ટ પરથી પ્રતિબંધ હટાવવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે સરકાર અને X પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો. દિલ્હી હાઈકોર્ટમાં દીપકેએ CJP ના X એકાઉન્ટ બ્લોક કરવાને પડકાર્યો છે. જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે કહ્યું કે, સરકારનો પક્ષ સાંભળ્યા વિના આવો આદેશ આપી શકાય નહીં, કારણ કે આ મામલાની વ્યાપક અસર અને દૂરગામી પરિણામો છે. અદાલતે કેન્દ્ર સરકારને ચાર સપ્તાહમાં જવાબ દાખલ કરવા જણાવ્યું અને કેસની આગામી સુનાવણી 6 જુલાઈએ નક્કી કરી. કોકરોચ જનતા પાર્ટી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જે ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની તાજેતરની કોકરોચ ટિપ્પણી પછી સામે આવ્યું. સોમવારે બપોરે 2 વાગ્યા સુધીમાં CJPના ઇન્સ્ટાગ્રામ પર 2.23 કરોડ (22.3 મિલિયન) ફોલોઅર્સ છે. દિપકે કહ્યું- CJP રાજકીય અને સામાજિક કટાક્ષ છે કોર્ટે કહ્યું- બ્લોકિંગ ઓર્ડરનું કારણ હજુ સ્પષ્ટ નથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ઇન્ટરમીડિયરી (X) અરજદારને મદદ કરતું હોય તેવું લાગી રહ્યું છે. સરકારનો પક્ષ સાંભળ્યા વિના કોઈ આદેશ આપવો જોઈએ નહીં. જરૂર પડ્યે બ્લોકિંગ ઓર્ડર અને સંપૂર્ણ રેકોર્ડ કોર્ટ સમક્ષ રજૂ કરી શકાય છે. રાષ્ટ્રીય સુરક્ષાનો હવાલો આપીને એકાઉન્ટ બ્લોક કરાયું હતું દીપકેએ તે સરકારી આદેશને પડકાર્યો છે, જેના હેઠળ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત કારણોનો હવાલો આપીને CJPનું X હેન્ડલ બ્લોક કરવામાં આવ્યું હતું. આ અરજી એડવોકેટ નકુલ ગાંધીએ દાખલ કરી છે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના ઇનપુટના આધારે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓ ટાંકીને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ, 2000 ની કલમ 69A હેઠળ X ને એકાઉન્ટ બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો હતો. 21 મેના રોજ X એકાઉન્ટ બંધ થયું તો નવું બનાવ્યું CJP નું X એકાઉન્ટ 21 મેના રોજ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. જ્યારે જૂનું એકાઉન્ટ બંધ થયું, ત્યારે 1.93 લાખથી વધુ ફોલોઅર્સ હતા. સંગઠને થોડા સમય પછી નવું એકાઉન્ટ બનાવ્યું. તેનું નામ ‘કોકરોચ ઇઝ બેક’ રાખવામાં આવ્યું અને બાયોમાં લખ્યું- કોકરોચ ડોન્ટ ડાય એટલે કે કોકરોચ મરતા નથી. X પર તેના સોમવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 240.08 k ફોલોઅર્સ છે. અભિજીત દિપકેને ભારત લાવવાની માગ સાથે ભાજપ કાર્યકર્તાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે CBI તપાસ કરાવવાની અરજી ફગાવી સુપ્રીમ કોર્ટે 24 મેના રોજ કોકરોચ જનતા પાર્ટી (CJP) સાથે સંકળાયેલા વ્યક્તિઓની ગતિવિધિઓની CBI દ્વારા તપાસ કરાવવાની માગ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો. કોર્ટમાં અરજદારના વકીલ એનકે ગોસ્વામીએ કહ્યું કે CJP, ન્યાયતંત્રની છબી ખરાબ કરી રહી છે. આ પછી CJI અને જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે કહ્યું, ‘તેને આટલી ભાવુકતાથી ન લો.’ --------------------- આ સમાચાર પણ વાંચો…. બેરોજગારોને કોકરોચ કહેવું શું યોગ્ય છે:પૂર્વ CJI બોલ્યા- જજ પણ માણસ છે, કોઈ શબ્દ નીકળી જાય છે, સોશિયલ મીડિયા પર ખોટો અર્થ કાઢવામાં આવે છે પૂર્વ CJI બીઆર ગવઈ ગુરુવારે ભાસ્કરને ઇન્ટરવ્યુ આપ્યો. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટમાં બેરોજગારોને 'કોકરોચ' અને 'પેરાસાઇટ' જેવા શબ્દો કહેવામાં આવ્યા, તમે તેને કેવી રીતે જુઓ છો? આના પર તેમણે કહ્યું- આ વાતને ખોટી રીતે વધારી-ચઢાવીને રજૂ કરવામાં આવી રહી છે. જજ પણ માણસ છે. સુનાવણી દરમિયાન કોઈ ખરાબ ઇરાદા વિના અજાણતામાં કોઈ શબ્દ નીકળી જાય છે. સોશિયલ મીડિયાના કારણે સંદર્ભ સમજ્યા વિના આવા શબ્દોનો ખોટો અર્થ કાઢીને વિવાદ ઊભો કરી દેવામાં આવે છે, જે યોગ્ય નથી. આપણે સોશિયલ મીડિયાના ફાયદા અને નુકસાન બંનેને સ્વીકારવા પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
Read Original Article →