ચારધામ યાત્રાના પહેલા દિવસે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ:ધામમાં પહોંચી મા ગંગાની ડોલી, ખરસાલીથી મા યમુનાની વિદાય; કૈલાસ માટે તૈયાર બાબા કેદાર

National4/19/2026, 4:39:22 AM
ચારધામ યાત્રાના પહેલા દિવસે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ:ધામમાં પહોંચી મા ગંગાની ડોલી, ખરસાલીથી મા યમુનાની વિદાય; કૈલાસ માટે તૈયાર બાબા કેદાર
ઉત્તરાખંડમાં આજથી ચારધામ યાત્રા શરૂ થઈ રહી છે. તેની શરૂઆત ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ખુલવાથી થશે. સવારે 8 વાગ્યે ઉત્તરકાશી જિલ્લાના શિયાળુ ગાદી સ્થળ ખરસાલીથી મા યમુનાની ઉત્સવ ડોલી, સમેશ્વર દેવતાની આગેવાની હેઠળ યમુનોત્રી ધામ માટે રવાના થઈ. આ દરમિયાન ગ્રામજનોએ ભીની આંખો અને જયઘોષ સાથે પોતાની આરાધ્ય દેવીને વિદાય આપી. જ્યારે ગંગોત્રીની ડોલી ગઈકાલે જ તેના શિયાળુ ગાદી સ્થળ મુખબાથી રવાના થઈ ચૂકી હતી જે આજે સવારે 9 વાગ્યે તેના ધામમાં પહોંચી ગઈ છે, હાલ અહીં હવન પૂજન કરવામાં આવી રહ્યું છે. બપોરે 12 વાગ્યે ને 15 મિનિટે ધામના કપાટ ખોલવામાં આવશે. આ દરમિયાન અહીં સીએમ ધામી પણ હાજર રહેશે જે પીએમ નરેન્દ્ર મોદીના નામની પ્રથમ પૂજા કરાવશે. ચાર ધામ યાત્રા સાથે જોડાયેલી પળ-પળની અપડેટ માટે લાઈવ બ્લોગ પર જાઓ…
Read Original Article →