149 દિવસ પછી ખૂલ્યા બદ્રીનાથ ધામના કપાટ:-4 ડિગ્રી તાપમાનમાં 7 હજાર શ્રદ્ધાળુઓ કરશે દર્શન, ઘીમાં લપેટેલો ધાબળો જણાવશે કેવું રહેશે આખું વર્ષ
ચારધામ યાત્રાના પાંચમા દિવસે આજે ચમોલી સ્થિત બદ્રીનાથ ધામના કપાટ વિધિવત રીતે ખોલી દેવામાં આવ્યા છે. સવારે 6 વાગ્યેને 15 મિનિટે મંદિરના દ્વાર ખુલતાની સાથે જ ભગવાન બદ્રીવિશાલના દર્શન શરૂ થઈ ગયા છે. સૌથી પહેલા મંદિરમાં રાવલ (મુખ્ય પૂજારી) એ પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા છે. એવું અનુમાન છે કે પહેલા દિવસે -4 ડિગ્રી તાપમાન વચ્ચે આશરે 6-7 હજાર લોકો દર્શન કરશે. કપાટ ખુલ્યા બાદ અંદર પૂજાવિધિ શરૂ થઈ ગઈ છે. અહીં સૌથી પહેલા વિતેલા છ મહિનાથી પ્રજ્વલિત અખંડ જ્યોતિના દર્શન કરવામાં આવી રહ્યા છે. થોડી જ વારમાં ભગવાન બદ્રીવિશાલ પર ચઢાવવામાં આવેલો ઘૃત કંબલ (ઘીમાં લપેટેલો ધાબળો) હટાવવામાં આવશે, જેની સ્થિતિ પરથી આખા વર્ષના ફળનું અનુમાન લગાવાય છે. ધામ સાથે સંબંધિત PHOTOS… રાવલ કરે છે પ્રથમ પ્રવેશ બદ્રીનાથ ધામના કપાટ ખોલવાની પરંપરા ઘણી વિશેષ છે. મંદિરના દરવાજા ત્રણ અલગ-અલગ ચાવીઓથી ખોલવામાં આવે છે. આ ચાવીઓ ટિહરી રાજપરિવાર સાથે સંકળાયેલા રાજપુરોહિત, હકહકૂકધારી મહેતા અને ભંડારી સમુદાય પાસે સુરક્ષિત રહે છે. નિર્ધારિત મુહૂર્તમાં ત્રણેય ચાવીઓ એકસાથે લગાવવામાં આવે છે. કપાટ ખુલતા જ સૌથી પહેલા રાવલ મંદિરમાં પ્રવેશ કરે છે અને ગર્ભગૃહમાં પૂજાની પ્રક્રિયા શરૂ કરે છે. ધામ સાથે જોડાયેલા પલ-પલના અપડેટ્સ માટે લાઈવ બ્લોગમાંથી પસાર થઈ જાઓ…
Read Original Article →