દિલ્હી-NCR અને જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા:રિક્ટર સ્કેલ પર 5.9ની તીવ્રતા; અફઘાનિસ્તાનનું હિંદુકુશ કેન્દ્ર, જાનહાનિ નહીં
દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુકુશ હતો. અફઘાન-તાજિકિસ્તાન સરહદ પર પણ 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે, કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાન કે કોઈના જાનહાનિ થયાની કોઈ માહિતી મળી નથી. ભૂકંપ શા માટે આવે છે?
આપણી પૃથ્વીની સપાટી મુખ્યત્વે 7 મોટી અને ઘણી નાની-નાની ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ઘણીવાર એકબીજા સાથે અથડાય છે. અથડાવાથી ઘણીવાર પ્લેટોના ખૂણા વળી જાય છે અને વધુ દબાણ આવતા આ પ્લેટો તૂટવા લાગે છે. આવા સમયે નીચેથી નીકળેલી ઊર્જા બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે.
Read Original Article →