પરખ:તમે બ્લડ વિશે કેટલું જાણો છો?
જયસ્વી પટેલ (14 જૂન-વર્લ્ડ બ્લડ ડોનર ડે) જેમને એ, બી, ઓ બ્લડ ગ્રૂપ શોધવા બદલ નોબેલ પ્રાઈઝ મળ્યું હતું, એ કાર્લ લેન્ડ સ્ટેનરનો જન્મદિવસ 14 જૂન વિશ્વમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે મનાવાય છે. જાણો..તમે બ્લડ વિશે કેટલું જાણો છો? - તમારા જવાબ સામે ટિક કરો.
(1) લોહી શરીરમાં શું પહોંચાડે છે?
(એ) નાઇટ્રોજન (બી) ઓક્સિજન
(સી) કાર્બન ડાયોક્સાઈડ
(2) શું ઘટવાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે?
(એ) લાલ રક્તકણ (બી) શ્વેતકણ
(સી) પ્લાઝમા
(3) લોહી મુખ્ય કેટલા પ્રકારનું છે?
(એ) ચાર (બી) પાંચ (સી) છ
(4) ‘એ’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે?
(એ)એ અને એબી (બી) એ અને બી
(સી) એબી અને ઓ
(5) ‘બી’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે?
(એ) બી અને એબી (બી) ઓ અને એ
(સી) એબી અને ઓ
(6) ‘એબી’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે?
(એ) એ (બી) ઓ (સી) એબી
(7) ‘ઓ’ ગ્રૂપવાળા કયા ગ્રૂપવાળાને બ્લડ આપી શકે?
(એ) એ-બી-ઓ-એબી (બી) માત્ર બી
(સી) માત્ર ઓ
(8) રક્તદાનથી પુરુષોમાં શાની શક્યતા ઘટે છે?
(એ) બી.પી.ની (બી) હાર્ટ ડિસીઝની
(સી) થેલેસેમિયાની
(9) બ્લડ ડોનેશન પૂર્વે કયા ટેસ્ટ કરાવવા જરૂરી છે?
(એ) હિમોગ્લોબીન (બી) એચઆઇવી ટેસ્ટ
(સી) હિમોગ્લોબીન, બ્લડ ગ્રૂપ અને એચઆઇવી
(10) કયા વયજૂથની વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે છે?
(એ) 12થી 45 વર્ષ (બી) 15થી 50 વર્ષ
(સી) 18થી 55 વર્ષ
(11) પુખ્ત વ્યક્તિના શરીરમાં સરેરાશ કેટલું લોહી ફરતું હોય છે?
(એ) 2-4 લિટર (બી) 4-6 લિટર
(સી) 3-5 લિટર
(12) લોહીમાં શાનું પ્રમાણ ઘટવાથી થાક લાગે છે?
(એ) શ્વેતકણનું (બી) પ્લેટલેટ્સનું
(સી) લાલ રક્તકણનું
(13) રક્તને જમાવવામાં મદદકર્તા તત્ત્વ કયું?
(એ) શ્વેતકણ (બી) પ્લાઝમા (સી) પ્લેટલેટ્સ
(14) ‘એ’ ગ્રૂપવાળાને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) બી અને ઓ (બી) એ અને એબી
(સી) એ અને ઓ
(15) ‘બી’ ગ્રૂપવાળાને કયા ગ્રૂપનું બ્લડ આપી શકાય?
(એ) બી અને ઓ (બી) એ અને એબી
(સી) એબી અને સી જવાબ : (1) બી (2) બી (3) એ (4) એ (5) એ (6) સી (7) એ (8) બી (9) સી (10) સી (11) બી (12) સી (13) સી (14) સી (15) એ ટેસ્ટ રિપોર્ટ : તમારા દરેક સાચા જવાબને એક પલ્સ આપી પરિણામ જાણી લો. Rx, ફાઇનલ રિપોર્ટ
{ 1થી 4 પલ્સ : તમે લોહીની મહત્તાને પૂરેપૂરી સમજો,ને કોઇની જિંદગી બચાવવા બ્લડ ડોનેશન કરો.
{ 5થી 11 પલ્સ : તમને લોહી વિશે સમજ છે પણ પૂરતી નથી. પુણ્યકર્મમાં વૃદ્ધિ કરવા બ્લડ ડોનેશન કરો.
{ 12થી 15 પલ્સ : તમને લોહી-બ્લડ ડોનેટની સાચી સમજ છે. બ્લડ ડોનેશન કરતાં જ હશો. જેથી કોઇને નવજીવન મળે.
Read Original Article →