PM મોદીની દમણ મુલાકાત પહેલાં VVIP રિહર્સલ:ગુરુવારે સાંજે 5થી રાતના 8:30 સુધી રિહર્સલ યોજાશે, વાહનચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવા અપીલ

Gujarat6/3/2026, 2:42:45 PM
PM મોદીની દમણ મુલાકાત પહેલાં VVIP રિહર્સલ:ગુરુવારે સાંજે 5થી રાતના 8:30 સુધી રિહર્સલ યોજાશે, વાહનચાલકોને વૈકલ્પિક રૂટ અપનાવવા અપીલ
દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 5 જૂનના રોજ દમણ મુલાકાત પૂર્વે સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે VVIP રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે. 4 જૂન, 2026ના રોજ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધી આ રિહર્સલ યોજાશે, જેના કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું ભારણ વધવાની શક્યતા છે. ટ્રાફિક અવરજવર પ્રભાવિત થશે પોલીસ વિભાગ દ્વારા જારી કરાયેલી ટ્રાફિક એડવાઈઝરી અનુસાર, આ સમયગાળા દરમિયાન મશાલ ચોકથી ભેંસલોર ચાર રસ્તા, નાની બસ સ્ટેન્ડથી વાડ ચોકી રોડ, દલવાડાથી મશાલ ચોક, મશાલ ચોકથી તીન બત્તી, તીન બત્તીથી મારવાડ, નમો પથ, તેમજ નાઈટ માર્કેટ થઈને છાપલી શેરીથી ધોબી તળાવ સુધીના માર્ગો પર ટ્રાફિક અવરજવર પ્રભાવિત થશે. ટ્રાફિક ડાયવર્ઝન પોલીસ તંત્રએ મુસાફરો અને સ્થાનિક નાગરિકોને આ નિર્ધારિત સમય દરમિયાન ઉપરોક્ત માર્ગોનો ઉપયોગ ટાળવા અને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરી છે. ટ્રાફિક ડાયવર્ઝનના કારણે વાહનચાલકોને થોડો વિલંબ થઈ શકે છે. રસ્તાની બાજુમાં વાહનો પાર્ક ન કરો ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને ડાયવર્ઝન વ્યવસ્થામાં સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. જાહેર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે રસ્તાની બાજુમાં વાહનો પાર્ક ન કરવા સૂચના આપવામાં આવી છે. દમણ પોલીસ વિભાગે DDDP અંતર્ગત નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે, જેથી VVIP મુલાકાતની તૈયારીઓ સુચારુ રૂપે પૂર્ણ થાય અને ટ્રાફિક વ્યવસ્થા સરળતાથી જળવાઈ રહે.
Read Original Article →