સત્તા માટે નહીં સમસ્યાના ઉકેલ માટે મતદાન:સુરેન્દ્રનગર, વઢવાણની બોર્ડર પરના વોર્ડ નં. 11માં સૌથી ઓછા મતદારો
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગામડાઓ ભળવાને કારણે વોર્ડ મોટા થયા છે અને મતદાનમાં પણ વધારો થયો છે.ત્યારે જોરાવરનગર અનેવઢવાણની બોર્ડર ઉપર આવેલાવોર્ડ નં. 11 એવો છે કે જેના મતમાં 3125નો ઘટાડો થયો છે.
ગત ચૂંટણીમાં આ વોર્ડમાં15056 મતદારો હતા. જ્યારે આચૂંટણીમાં 11931 મતદારો છે. તેનુંમુખ્ય કારણ વઢવાણના જેવિસ્તારો હતા તેનો વોર્ડ નં. 12માંસમાવેશ કરવામાં આવ્યો અનેજોરાવરનગરમાંથી આ વોર્ડમાંઓછા વિસ્તારોનો સમાવેશ થતાવોર્ડ નાનો થઇ ગયો હતો. વોર્ડનાનો હોવા છતાં હાર જીત માટેરસા કસી જામશે. મનપામાં નવાવોર્ડની રચના કરવામાં આવી તેમાંપાલિકાના સમયમાં વઢવાણનો દાજીપરા, શિવરંજની અને રેલવેસ્ટેશનની આજુ બાજુ તથાડાંગસીયા વસાહતનો વોર્ડ નં12માં સમાવેશ કરવામાં આવ્યોછે. જ્યારે સામે જોરાવરનગરરેલવે સ્ટેશન, લાતી બજાર, કંસારાબજારનો આ વોર્ડમાં સમાવેશકરવામાં આવ્યો છે. જેમાં વઢવાણના વધુ મત વોર્ડનં 12માં જતા રહેતા આ વોર્ડનાનો થઇ ગયો છે. ગત પાલિકાનીચૂંટણીમાં આ વોર્ડ માંથી 3ભાજપ અને 1 કોંગ્રેસના ઉમેદવારવિજયી થયા હતા.
Read Original Article →