વઢવાણમાં ભાગવત સપ્તાહ સંપન્ન:4000 ભાવિકોએ મહાપ્રસાદ લીધો, બ્રહ્મનારી સંગઠનના આયોજનમાં રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત

Gujarat6/2/2026, 12:50:59 PM
વઢવાણમાં ભાગવત સપ્તાહ સંપન્ન:4000 ભાવિકોએ મહાપ્રસાદ લીધો, બ્રહ્મનારી સંગઠનના આયોજનમાં રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત
વઢવાણ શહેરમાં બ્રહ્મનારી સંગઠન દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ છે. સાત દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. પૂર્ણાહુતિ પ્રસંગે 4,000થી વધુ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિના બીજા દિવસે સવારથી ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું. ત્યારબાદ સાંજે વિશાળ મહાપ્રસાદ (ભંડારા) યોજાયો હતો. જેમાં અંદાજે 4,000થી વધુ ભાવિક ભક્તોએ શ્રદ્ધાપૂર્વક મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ ધાર્મિક મહોત્સવમાં ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સુરેન્દ્રનગર કોર્પોરેશનના કોર્પોરેટર પ્રશાંતભાઈ ભટ્ટ, નીરવભાઈ દવે અને સોનલબેન દવે તેમજ શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલ સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શ્રી વઢવાણ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ અને અન્નક્ષેત્ર ટ્રસ્ટના હોદ્દેદારો સંજયભાઈ (સમીરભાઈ) ભટ્ટ, સુનિલભાઈ મહેતા, પ્રફુલભાઈ શુક્લ અને પ્રકાશભાઈ ભટ્ટ સહિતના અગ્રણીઓએ કથાના પ્રારંભથી બ્રહ્મભોજન સુધી સતત હાજર રહીને બ્રહ્મનારી સંગઠનની બહેનોની કામગીરીને બિરદાવી હતી અને પૂરું પીઠબળ પૂરું પાડ્યું હતું. સમગ્ર ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે બ્રહ્મનારી સંગઠનના અગ્રણીઓ જોલીબેન ભટ્ટ, કવિતાબેન શુક્લ, ભાવનાબેન દવે, જયમાલાબેન, પૂજા વ્યાસ તથા કારોબારી સમિતિની તમામ બહેનોએ દિવસ-રાત ભારે જહેમત ઉઠાવી હતી. બહેનોના સચોટ આયોજન અને સુંદર વ્યવસ્થાપનને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિમય માહોલમાં સંપન્ન થયો હતો.
Read Original Article →