સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ અરજદારોનો ઘસારો:જાતિના દાખલા, આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો

Gujarat6/4/2026, 9:12:17 AM
સુરેન્દ્રનગર મામલતદાર કચેરીએ અરજદારોનો ઘસારો:જાતિના દાખલા, આવકના દાખલા સહિતના પ્રમાણપત્રો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો
સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કેમ્પસમાં આવેલી સિટી મામલતદાર કચેરી બહાર વિવિધ પ્રમાણપત્રો કઢાવવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી. ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી દાખલાઓ મેળવવા અરજદારોનો ભારે ધસારો રહ્યો હતો. ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામો જાહેર થયા બાદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે જાતિના દાખલા, આવકના દાખલા અને ક્રિમિલેયર પ્રમાણપત્રો જેવા દસ્તાવેજોની જરૂર પડે છે. આ ઉપરાંત, સરકારની વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓનો લાભ લેવા માટે પણ આવા પ્રમાણપત્રો અનિવાર્ય હોય છે. આ જરૂરિયાતોને કારણે કચેરી ખાતે અરજદારોની ભીડ જોવા મળી હતી.
Read Original Article →