રતનપરમાં પીવાના પાણીની પાઈપલાઈનની કામગીરી:સ્થાનિક કોર્પોરેટરોએ સ્થળનું કામગીરીની સમીક્ષા કરી, સ્થાનિકોને ફાયદો થશે
સુરેન્દ્રનગર શહેરમાં રતનપર બાયપાસ રોડ પર પીવાના પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ લાઈન પરિવર્તન શિક્ષણ ધામ સુધી નાખવામાં આવશે. શહેરમાં નાગરિકોની સુવિધાઓ વધારવા માટે કરોડોના ખર્ચે વિકાસના કામો ચાલી રહ્યા છે. જેમાં રોડ-રસ્તા, પીવાના પાણીની પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરની લાઈનો નાખવાનો સમાવેશ થાય છે. આ કામગીરી વોર્ડ નંબર 9ના કોર્પોરેટર પ્રદીપભાઈ વસ્તાણીના પ્રયાસોથી શરૂ થઈ છે. તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે પહેલ કરી હતી. આ પ્રોજેક્ટમાં પ્રદીપભાઈ વસ્તાણી સાથે અન્ય કોર્પોરેટરો, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમ પણ સામેલ છે.
Read Original Article →