કોંગ્રેસ અધ્યક્ષના નિવેદન સામે ભાજપનો ઉગ્ર વિરોધ:સુરેન્દ્રનગરમાં ધરણાં, મહિલા મોરચાએ કોંગ્રેસ અધ્યક્ષના ફોટાને ચપ્પલ મારી રોષ વ્યક્ત કર્યો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતના નાગરિકોને 'અભણ' ગણાવતા નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીએ સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના મેગા મોલ પાસે ભાજપ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં શહેર અને જિલ્લાના મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, કોંગ્રેસને સદબુદ્ધિ મળે તે માટે એક કલાક સુધી રામધૂન પણ બોલાવવામાં આવી હતી. ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના ફોટાને ચપ્પલ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભાજપના કાર્યકરોએ ખડગેના આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવ્યું હતું અને તેમની તાત્કાલિક માફીની માંગ કરી હતી.
Read Original Article →