સુરેન્દ્રનગર ડાયેટમાં બી.ઍડ.ની નવમી બેચનો દીક્ષાંત સમારોહ:ડૉ. નિલેશ ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપ્યું

Gujarat4/5/2026, 2:55:40 AM
સુરેન્દ્રનગર ડાયેટમાં બી.ઍડ.ની નવમી બેચનો દીક્ષાંત સમારોહ:ડૉ. નિલેશ ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપ્યું
સુરેન્દ્રનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) માં બી.ઍડ.ની નવમી બેચનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ડૉ. નિલેશભાઈ ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.આ પ્રસંગે ડાયેટ ભાવનગરના પ્રાચાર્ય હિરેન ભટ્ટ, ડાયેટ સુરેન્દ્રનગરના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયા, ડાયેટ ભાવનગરના સિનિયર લેક્ચરર ડૉ. રાજેશ્રી ભટ્ટ અને ડાયેટ બી.ઍડ.ના HOD ડૉ. મનીષ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયેટના લેક્ચરર ડૉ. ખ્યાતિ તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. બી.ઍડ.ના પ્રશિક્ષણાર્થીઓએ આ પ્રસંગે તેમના બે વર્ષના તાલીમકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.
Read Original Article →