રતનપરની દર્શન વિદ્યાલયમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો:શાળાના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે માટેની તાલીમ અપાઈ

Gujarat6/2/2026, 1:58:52 PM
રતનપરની દર્શન વિદ્યાલયમાં ફાયર સેફટી સેમિનાર યોજાયો:શાળાના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે રક્ષણ મેળવી શકાય તે માટેની તાલીમ અપાઈ
રતનપરની દર્શન વિદ્યાલયમાં મંગળવારના રોજ શાળાના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ માટે ફાયર સેફટી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બને અને સ્ટાફ કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા સજ્જ થાય તે મુખ્ય હેતુ હતો. આ સેમિનારમાં ઉપસ્થિત સ્ટાફને આગની ઘટનાઓ સમયે તાત્કાલિક પગલાં લેવા, આગને કાબૂમાં લેવા અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અંગે વિસ્તૃત અને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, આગના વિવિધ પ્રકારો અને ફાયર સિલિન્ડરના યોગ્ય ઉપયોગ અંગેનું જીવંત નિદર્શન પણ કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સંચાલક મહેશભાઈ કાનાણી અને પ્રિન્સીપાલ જયેશભાઈ પીપલીયાએ વ્યવસ્થા સંભાળી હતી. શાળા પરિવારના આ પ્રયાસને વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
Read Original Article →