મોદી સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થયા:પાટડી-લખતરમાં ધારાસભ્યની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન યોજાયું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પાટડી નગરના નવા દરવાજા ખાતે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે નગરપાલિકા પ્રમુખ હિતેશભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, શહેર ભાજપ પ્રમુખ વિરલભાઈ સોની, નગરપાલિકાના સદસ્યો અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. આ જ વિધાનસભા વિસ્તારમાં આવેલા લખતર ખાતે પણ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં ગ્રામ પંચાયતથી આરોગ્ય કેન્દ્ર સુધી સફાઈ કામગીરી કરવામાં આવી હતી. સફાઈ કામગીરી બાદ ખીજડીયા હનુમાનજી મંદિરના પટાંગણમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમારની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજયસિંહ રાણા, આગેવાન જસપાલસિંહ રાણા, લખતર ભાજપ પ્રમુખ રવિરાજભાઈ, ડી. કે. ચાવલિયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ, ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →