પાવરગ્રીડ વિરોધમાં રાજકોટ હાઇવે ચક્કાજામ:કોંઢ ગામના ખેડૂતો વળતર માટે રોડ પર ઉતર્યા; પોલીસે સમજાવટથી સ્થિતિ નિયંત્રિત કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં પાવરગ્રીડ કંપનીના વિરોધમાં કોંઢ ગામના ખેડૂતોએ રાજકોટ સ્ટેટ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. ખેડૂતો પૂરતા વળતર અને કોરિડોરમાં રહીને કામગીરી કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે તેમને પાવરગ્રીડ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન સામે પૂરતું વળતર મળ્યું નથી. તેઓ કંપનીને નિર્ધારિત કોરિડોરની અંદર રહીને જ કામગીરી કરવા પર ભાર મૂકી રહ્યા છે. ખેડૂતોએ પોલીસ પર દમનગીરી કરીને કામગીરી કરાવવાનો આરોપ પણ લગાવ્યો છે. આ ચક્કાજામના કારણે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેનાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી હતી અને હાઇવે ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસ દ્વારા ખેડૂતોને સમજાવીને પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા
Read Original Article →