કોઠારીયા નજીક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળ્યો:પોલીસે ઓળખ માટે શોધખોળ શરૂ કરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ નજીકથી આશરે 60 વર્ષના એક વૃદ્ધનો બિનવારસી મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના બાદ વઢવાણ પોલીસે મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વૃદ્ધનો મૃતદેહ કોઠારીયા ગામ નજીક સી.યુ. શાહ એન્જિનિયરિંગ કોલેજ સામે આવેલી એક દુકાનના ઓટલા પરથી મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને વઢવાણ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને ઓળખ પ્રક્રિયા માટે ખસેડ્યો છે. વઢવાણ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ આ મૃતક વૃદ્ધને ઓળખતું હોય અથવા તેમના વાલી-વારસ વિશે જાણકારી હોય, તો તાત્કાલિક વઢવાણ પોલીસ મથકે સંપર્ક કરવો. આ અંગે વધુ માહિતી માટે વઢવાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવી છે.
Read Original Article →