ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું સુરતમાં પ્રથમ સ્નેહમિલન યોજાયું:રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જનક તલાવિયા ઉપસ્થિત રહ્યા

Gujarat6/8/2026, 6:39:19 AM
ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું સુરતમાં પ્રથમ સ્નેહમિલન યોજાયું:રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જનક તલાવિયા ઉપસ્થિત રહ્યા
સુરતમાં સમસ્ત ખાખરા હડમતિયા પાટીદાર પરિવારનું પ્રથમ સ્નેહમિલન યોજાયું. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને લાઠીના ધારાસભ્ય જનક તલાવિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ખાખરા હડમતિયા ગામના ગૌરવ એવા નડિયાદ LCBના PI કેવલ વેકરિયા અને સરોલી-સુરતના PI સંદીપભાઈ વેકરિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. સમાજના તમામ પરિવારજનોની નોંધપાત્ર હાજરીએ આ પ્રથમ સ્નેહમિલનને સફળ બનાવ્યું. કાર્યક્રમ દરમિયાન ભવેશભાઈ રાફળિયાએ સમાજની એકતા, સરદાર સાહેબના આદર્શો તથા યુવાનોને સાયબર ફ્રોડ અને વ્યસનથી દૂર રહેવા અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન માટે પ્રમુખ દીપકભાઈ વેકરિયા અને ઉપપ્રમુખ શ્રી રમેશભાઈ આસોદરિયાએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના અંતે, તમામ મહાનુભાવો, આગેવાનો અને ઉપસ્થિત સમાજજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશ આસોદરિયા અને ગોરધનભાઈ સતાસિયા દ્વારા કરવામાં આવ્યું હતું.
Read Original Article →