સાબરકાંઠામાં ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ:જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં શરૂઆત

Gujarat6/10/2026, 10:36:37 AM
સાબરકાંઠામાં ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ:જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં શરૂઆત
સાબરકાંઠા જિલ્લાના સર્વગ્રાહી વિકાસ મોડેલ, સહકારી, શૈક્ષણિક અને ઐતિહાસિક ગૌરવની પ્રતીતિ કરાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય પ્રગતિ પથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો પ્રારંભ જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ તેમજ સાંસદ શોભનાબેન બારૈયાની ઉપસ્થિતિમાં થયો હતો. પ્રગતિ પથ યાત્રાના પ્રથમ દિવસે બુધવારે પ્રાંતિજના વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતેથી શરૂઆત થઈ હતી. અહીં બાગાયત અધિકારી બિપિનસિંહ પઢીયાર દ્વારા આ સેન્ટરની સ્થાપના અને સંસ્થા દ્વારા કરવામાં આવતી આધુનિક કામગીરી અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. ત્યાંથી આગળ વધીને આ યાત્રા પ્રાંતિજના સલાલ ખાતે આવેલા વૈશ્વિક મહત્વ ધરાવતા ‘કર્કવૃત સાયન્સ પાર્ક’ ખાતે પહોંચી હતી. અહીં ખગોળ વિજ્ઞાન અને પૃથ્વીની ગતિવિધિઓ વિશે જીવંત પ્રયોગો દ્વારા રસપ્રદ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રથમ દિવસની પ્રગતિ પથ યાત્રાનું સમાપન હિંમતનગરના ન્યાય મંદિર (કોર્ટ) ખાતે કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સહિત વિવિધ પદાધિકારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →