હિંમતનગરમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:UGVCL સબસ્ટેશનના સમારકામથી 23થી વધુ વિસ્તારોમાં વીજ કાપ, પાણી વિતરણ વ્યવસ્થાને અસર

Gujarat5/22/2026, 1:57:04 PM
હિંમતનગરમાં આવતીકાલે વીજ પુરવઠો બંધ રહેશે:UGVCL સબસ્ટેશનના સમારકામથી 23થી વધુ વિસ્તારોમાં વીજ કાપ, પાણી વિતરણ વ્યવસ્થાને અસર
હિંમતનગરમાં આવતીકાલે UGVCL ના હિંમતનગર 1 સબસ્ટેશનના સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7 વાગ્યાથી 15 થી વધુ ફીડરો બંધ થતાં 23 થી વધુ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. આ વીજ કાપને કારણે હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરીજનો માટે પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. નગરપાલિકાએ પાણી વિતરણના સમયપત્રકની જાહેરાત કરી છે. શહેરીજનોને વહેલી સવારે પાણીનો સંગ્રહ કરી લેવા વિનંતી કરવામાં આવી છે. રવિવારે પાણીનો પુરવઠો નિયમિત રીતે અને સમયે પૂરો પાડવામાં આવશે. પાણી વિતરણનું સમયપત્રક નીચે મુજબ છે: પોલોગ્રાઉન્ડ, મોટી વ્હોરવાડ, ચાંદનગર, મજા સોસા, બજાર વિસ્તાર, ભાટવાસ, બગીચા વિસ્તાર. આ વિસ્તારોમાં વીજ પુરવઠો ચાલુ થયા બાદ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે.
Read Original Article →