કોંગ્રેસ પ્રમુખ ખડગેના નિવેદનનો વિરોધ:હિંમતનગરમાં ભાજપે ગુજરાતના અપમાન મુદ્દે પ્રદર્શન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક જાહેરસભા દરમિયાન ગુજરાતની પ્રજાને 'અભણ' કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહારો કર્યા હતા. આ નિવેદનની ગુજરાત સહિત દેશભરમાં ટીકા થઈ હતી. આ નિવેદનના વિરોધમાં સાબરકાંઠા ભાજપ દ્વારા બુધવારે હિંમતનગરના ટાવર ચોક ખાતે યુવા મોરચાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, મહામંત્રી પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા, જયેશ પટેલ, યુવા મોરચાના ધવલ રાવલ, શ્રેયાંશ બારોટ, રાહુલ પટેલ, રાજુ પંચાલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું.
Read Original Article →