સૌરાષ્ટ્રને મળી ઓખા-તિરુપતિ નવી ટ્રેન:હવે ટ્રેનમાં બેસો અનેસીધા તિરુપતિ બાલાજી પહોંચો, રાજકોટથી દર મંગળવારે ઉપડશે
ભારતની પશ્ચિમ દિશાના છેવાડે આવેલી દ્વારકા નગરી અને દક્ષિણના પ્રસિદ્ધ તીર્થધામ તિરુપતિ બાલાજી વચ્ચે રેલવે કનેક્ટિવિટીનો નવો અધ્યાય શરૂ થયો છે. ઓખા રેલવે સ્ટેશનથી ‘ઓખા-તિરુપતિ સાપ્તાહિક એક્સપ્રેસ’ને લીલી ઝંડી બતાવીને સિગ્નલ આપવામાં આવ્યું હતું. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાએ આ પ્રસંગે તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ ભારત તરફ જતી આ નવી ટ્રેન સેવાને કારણે શ્રદ્ધાળુઓને ફાયદો થશે અને વેપાર તેમજ પર્યટન ક્ષેત્રે ઉછાળો આવશે. રાજ્યના મુખ્ય શહેરો સહિત 40થી વધુ સ્ટોપેજ આ ટ્રેન જામનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં ઊભી રહેશે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના મહત્ત્વના સ્ટેશનો જેમ કે નાંદેડ, નિઝામાબાદ અને કડપા થઈને તિરુપતિ પહોંચશે. સમયપત્રક પર એક નજર | દર સોમવારે ઓખાથી થશે પ્રસ્થાન મુસાફરોને શું ફાયદો થશે 1. સીધી કનેક્ટિવિટી | હવે સૌરાષ્ટ્રના શ્રદ્ધાળુઓએ તિરુપતિ જવા માટે મુંબઈ કે અન્ય સ્ટેશનો પર ટ્રેન બદલવાની જરૂર નહીં પડે. 2. સમય અને નાણાંની બચત | ડાયરેક્ટ ટ્રેનને કારણે મુસાફરીનો સમય ઘટશે અને કનેક્ટિંગ ટ્રેનના વધારાનો ખર્ચ બચશે. 3. વેપારી માર્ગો | હૈદરાબાદ (કાચીગુડા), નિઝામાબાદ અને નાંદેડ જેવા મુખ્ય વેપારી મથકો સાથે સીધો સંપર્ક સ્થાપિત થશે. 4. સુવિધા | ACથી લઈને જનરલ કોચની વ્યવસ્થા હોવાથી મધ્યમ અને શ્રમિક વર્ગના મુસાફરો પણ સસ્તા દરે મુસાફરી કરી શકશે.
Read Original Article →