પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:ખેતરમાં કામ કરતી પરિણીતાએ ભૂલથી ઘાંસ બાળવાની દવા પીધી
પોરબંદર પોરબંદરના રતનપર વાડી વિસ્તારમાં રહેતી એક પરણિતાએ ખેતીકામ દરમ્યાન ભૂલથી ઘાંસ બાળવાની દવા પી લેતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે આ બાબતે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. રાણાવાવ મફતિયાપરા પાણીના ટાંકા પાસે રહેતી અને હાલ પોરબંદરના રતનપર વાડી વિસ્તારમાં રહેતી શીતલબેન ભરતભાઈ ભૂતિયા નામની 26 વર્ષીય પરણિતા તા.14/5ના રોજ બપોરના સમયે ખેતીકામ કરતા હતા ત્યારે જમીને ભૂલથી ઘાંસ બાળવાની દવા પી લીધી હતી. આ પરણિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે પરણિતાએ પોલીસ ચોપડે જાહેર કરતા પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે.
Read Original Article →