પાટણના જલારામ મંદિર પાસે વીજ ડીપીમાં આગ:આસપાસના વિસ્તારોનો વીજ પુરવઠો ખોરવાયો, ફાયર પહોંચી
પાટણ શહેરમાં જલારામ મંદિર પાસે આવેલા એક વીજ ડીપીમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ધોળા દિવસે વીજ ડીપીમાંથી આગની જ્વાળાઓ નીકળતી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક વીજ વિભાગ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતા જ વીજ વિભાગના કર્મચારીઓ અને ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આ આગને કારણે સાવચેતીના ભાગરૂપે અને ટેકનિકલ ખામીને લીધે આસપાસના વિસ્તારોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે વીજ વિભાગ દ્વારા સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.
Read Original Article →