ચંદ્રુમાણા ગામે ખોડીયાર માતાની રમેલ યોજાઈ:મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા હાજર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે લીમડી ચોક માસ્તરભાના મેઢા પાસે ચૈત્ર માસ નિમિત્તે શ્રી ખોડીયાર માતાજીની રમેલનું આયોજન શુક્રવારે રાત્રે કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દેવી ઉપાસકોએ ધૂણ લગાવી હતી અને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. ગામના વાળંદ પરિવારના બાબુભાઈ કાંતિભાઈ નાયીના યજમાન પદે આ માતાજીની રમેલ યોજાઈ હતી. નાયી સમાજના બચુભાઈ અમથાભાઈ, ગોવિંદભાઈ મોહનભાઈ, કુલદીપભાઈ જયંતીભાઈ ઉપરાંત ગામના વિહત માતાના ઉપાસક દિનેશભાઈ ખટાણા, નાથબાઈ માતાના ઉપાસક ભોગીલાલ પ્રજાપતિ, કાંતિભાઈ દરજી, જયંતીજી ઠાકોર તેમજ બહાર ગામથી પધારેલા શક્તિ ઉપાસકોએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. સમીના તારોરાથી પધારેલા એક શક્તિ ઉપાસકે ઉપસ્થિત ભક્તોને હૃદયમાં રામ રાજી રાખીને કોઈનું પણ ખરાબ ન થાય તે રીતે જીવન જીવવા અને ખોટા માર્ગે ન જવા માટે બોધ આપ્યો હતો. આ સંદેશ ભક્તોમાં ખૂબ પ્રેરણાદાયક રહ્યો હતો. કાર્યક્રમના અંતે, તમામ શક્તિ ઉપાસકોને કામળી ઓઢાડી અને ભેટ સોગાદ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Read Original Article →