પંચમહાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ₹62.40 લાખના હિયરિંગ એઇડ અપાયા:સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારના હસ્તે વિતરણ, 'સમાન અવસર' કાર્યક્રમ સાર્થક

Gujarat5/28/2026, 11:36:43 AM
પંચમહાલમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને ₹62.40 લાખના હિયરિંગ એઇડ અપાયા:સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારના હસ્તે વિતરણ, 'સમાન અવસર' કાર્યક્રમ સાર્થક
પંચમહાલ જિલ્લામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે 'સમાન અવસર' કાર્યક્રમ હેઠળ અત્યાધુનિક હિયરિંગ એઇડનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્યસભા સાંસદ ડૉ. જસવંતસિંહ પરમારની ગ્રાન્ટમાંથી ₹62.40 લાખના ખર્ચે આ ઉપકરણો અપાયા હતા. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા અને જન્મજાત શ્રવણની ખામી ધરાવતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવાનો હતો. 'સહભાગી શિક્ષણ સમાન અવસર'ના સરકારી સૂત્રને સાર્થક કરવા આ પહેલ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા પંચમહાલના સ્પેશિયલ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા 78 દિવ્યાંગ વિદ્યાર્થીઓને આ અત્યાધુનિક હિયરિંગ એઇડ ડિવાઇસ નિઃશુલ્ક આપવામાં આવ્યા. વર્ષ 2024-25ની ગ્રાન્ટમાંથી કુલ ₹62.40 લાખની રકમ આ સાધનો પાછળ ફાળવવામાં આવી હતી. રાજ્યસભાના સાંસદ ડૉ. જસવંતસિંહ પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના હસ્તે આ ઉપકરણોનું વિતરણ કરાયું. આધુનિક મશીન મળતા જ બાળકોના ચહેરા પર ખુશી છવાઈ હતી, અને વાલીઓએ આ સંવેદનશીલ અભિગમ બદલ વહીવટી તંત્ર તથા સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
Read Original Article →