ગોધરા રેલવે ટ્રેક પર નવજાત શિશુનો મૃતદેહ મળ્યો:પોલીસે તપાસ હાથ ધરી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો
ગોધરા રેલવે સ્ટેશનના ટ્રેક નંબર 6 અને 7 નજીકથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે નવજાત શિશુના મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પી.એમ. રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કોઈ અજાણી વ્યક્તિએ પોતાનું કૃત્ય છુપાવવા માટે આ નવજાત શિશુને ત્યજી દીધું હશે. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે શિશુને અહીં કોણ મૂકી ગયું અને તેના વાલીવારસ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
Read Original Article →