ગોધરામાં ગેરેજમાં ભીષણ આગ:બેઠક મંદિર રોડ પર અનેક મોટરસાઈકલો બળીને ખાખ
ગોધરા શહેરના બેઠક મંદિર રોડ પર આવેલા એક ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં ગેરેજમાં રિપેરિંગ માટે રાખવામાં આવેલી અનેક મોટરસાયઈલો બળીને ખાખ થઈ ગઈ હતી. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા બેઠક મંદિર પાસેના આ વિસ્તારમાં રહેણાંક અને વ્યાપારી સંકુલો આવેલા છે. આગ લાગતા જ સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. આગ ઝડપથી પ્રસરી હતી અને તેણે ગેરેજને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આગને કારણે મોટરસાયઈલોને ભારે નુકસાન થયું હતું. જોકે, આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
Read Original Article →