આણંદ-ગોધરા મેમુ ટ્રેન આવતીકાલે રદ:પશ્ચિમ રેલવેના બ્લોકને કારણે સેવા સ્થગિત
પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં આવતીકાલે આણંદ-ગોધરા સેક્શન પર મેમુ ટ્રેન સેવા એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી છે. રેલવે બ્લોકના કારણે ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ રદ રહેશે. આ નિર્ણય ડાકોર અને ઠાસરા સ્ટેશન વચ્ચે ડાઉન લાઈન પર આવેલા બ્રિજ નંબર 51ના પુનઃનિર્માણ કાર્ય માટે લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા આ કામગીરી માટે ખાસ બ્લોક લેવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યાં અનુસાર, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામગીરીને કારણે તારીખ 16.05.2026, શનિવારના રોજ ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ સંપૂર્ણપણે રદ રહેશે. સામાન્ય રીતે, આ ટ્રેન દરરોજ આણંદ સ્ટેશનથી બપોરે 1:05 કલાકે ઉપડે છે અને બપોરે 3:20 કલાકે ગોધરા સ્ટેશન પર પહોંચે છે. રેલવે વિભાગે શનિવારે મુસાફરી કરનારા મુસાફરોને આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરી છે.
Read Original Article →