નવસારી:સરબતિયા તળાવ મુદ્દે મનપા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે
નવસારીના સરબતિયા તળાવ પ્રોજેક્ટનું કામ સ્થાનિક કોર્ટે અટકાવ્યા બાદ હવે મનપા કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે એમ જાણવા મળે છે. નવસારીના લુન્સીકૂઇ વિસ્તારમાં આવેલ સરબતિયા તળાવમાં મનપાના 7 કરોડના પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે,જેમાં તળાવના વિકાસ સાથે લોકોના હરવા ફરવા માટે અનેક પ્રકલ્પ પણ બની રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તળાવની મૂળ સ્થિતિ બદલાઈ રહી છે અને નિયમોના ઉલ્લંઘન મુદ્દે નવસારીની સ્થાનિક કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે આ અરજી સંદર્ભે હાલ સરબતીયા તળાવમાં કામો નહી કરવાનો વચગાળાનો હુકમ કર્યો છે. ખૂબ મોટા પ્રોજેક્ટનું કામ ચોમાસા ટાણે અટકી મુશ્કેલી ઉભી થઈ છે. આ મામલે મનપામાં છેલ્લા બે દિવસથી વિચારવિમર્શ ચાલી રહ્યો હતો. મળતી માહિતી મુજબ મનપા હવે આ મુદ્દે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરશે અને પક્ષ રજૂ કરશે એમ જાણવા મળે છે. હાલ શહેરમાં કોર્ટના સ્ટે બાદ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે શું થશે તે ઉપર નજર ઠરી છે. હાલ મહાનગર પાલિકા દ્વારા વિકાસના કામોને અટકાવવામાં આવ્યા છે.
Read Original Article →