બાળમૃત્યુનો ચોક્કસ આંકડો જાણ થવાથી ઉપાયયોજના કરવી શક્ય થશે:તમામ હોસ્પિટલો માટે બાળમૃત્યુની નોંધ 24 કલાકમાં કરાવવી ફરજિયાત
રાજ્યમાં બાળમૃત્યુના ચોક્કસ આંકડા ઉપલબ્ધ થાય તો અસરકારક ઉપાયયોજના કરવી શક્ય થશે. આ બાબત ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ, પ્રસુતિગૃહ, બાળહોસ્પિટલ, તેમ જ અન્ય ખાનગી આરોગ્ય સંસ્થાઓને બાળમૃત્યુ બાબતની નોંધ નાગરી નોંધણી પ્રણાલી (સીઆરએસ) અને આરોગ્ય વ્યવસ્થાપન માહિતી પદ્ધતિ (એચએમઆઈએસ) પ્રણાલી પર કરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. તેમ જ દરેક બાળમૃત્યુની માહિતી ચોવીસ કલાકની અંદર સ્થાનિક સાર્વજનિક આરોગ્ય સંસ્થાને ફોર્મમાં જણાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. શાશ્વત વિકાસ ધ્યેય અનુસાર ભારત સરકારે 2030 સુધી બાળમૃત્યુ દર દર એક હજાર જીવંત જન્મ દીઠ 25 સુધી ઓછો કરવાનો ઉદ્દેશ રાખ્યો છે. મહારાષ્ટ્ર આ ઉદ્દેશ પાર પાડવામાં સફળ થયું છે અને બાળમૃત્યુ દર એક હજાર જન્મ દીઠ 16 સુધી ઓછું કર્યું છે. જો કે સરકારી હોસ્પિટલોમાં બાળમૃત્યુની ચોક્કસ નોંધ કરવામાં આવે છે પણ ખાનગી હોસ્પિટલોમાં નોંધ અધુરી હોય છે એમ ધ્યાનમાં આવ્યું છે. તેથી વાસ્તવિકતામાં થતા મૃત્યુ અને નોંધેલા મૃત્યુના આંકડામાં તફાવત ઊભો થાય છે. ક્યાં થાય છે નોંધણી? ઉપકેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગ્રામીણ હોસ્પિટલો, ઉપજિલ્લા હોસ્પિટલ, જિલ્લા મહિલા હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સરકારી મેડિકલ હોસ્પિટલ તેમ જ મહાપાલિકા ક્ષેત્રની તમામ આરોગ્ય સંસ્થા, નગરપાલિકા, મહાપાલિકા દવાખાના, મેડિકલ કોલેજ અને હોસ્પિટલો એમ તમામ આરોગ્ય સંસ્થામાં બાળમૃત્યુ રજિસ્ટરમાં નોંધવામાં આવે છે અને મહિનાના અંતે આ તમામ આરોગ્ય સંસ્થા મારફત એચએમઆઈએસ પ્રણાલીમાં થાય છે.
Read Original Article →