સિટી એન્કર:બીકેસીમાં હવે દર શુક્રવારે સાપ્તાહિક જાહેર પરિવહન દિવસ ઊજવાશે

Gujarat6/7/2026, 12:19:25 AM
સિટી એન્કર:બીકેસીમાં હવે દર શુક્રવારે સાપ્તાહિક જાહેર પરિવહન દિવસ ઊજવાશે
વડાપ્રધાનના નાગરિકોને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા વિનંતી કરી તેના પ્રતિસાદમાં અને મહારાષ્ટ્ર સરકારના પરિપત્ર અનુસાર સરકારી કર્મચારીઓને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વખત મેટ્રો, ઉપનગરીય રેલ અથવા બસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે એમએમઆરડીએએ ડબ્લ્યુઆરઆઈ ઇન્ડિયા સાથે મળીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે બીકેસી સાપ્તાહિક જાહેર પરિવહન દિવસ પહેલ શરૂ કરી છે, જે ભારતમાં બિઝનેસ ડિસ્ટ્રિક્ટ માટે તેના પ્રકારની પ્રથમ પહેલ છે. આ જાહેરાત એક ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ દરમિયાન કરવામાં આવી હતી જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ, પરિવહન એજન્સીઓ, કોર્પોરેટ નેતાઓ અને ગતિશીલતા નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)માં કર્મચારીઓ અને સંગઠનોને દર શુક્રવારે જાહેર અથવા શેર કરાતા પરિવહન દ્વારા મુસાફરી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો ઠરાવ સામૂહિક રીતે અપનાવવામાં આવ્યો હતો. બીકેસીમાં લગભગ 2 લાખ નોકરિયાતો છે અને સમાન અથવા વધુ સંખ્યામાં અનૌપચારિક નોકરિયાતો છે. તેઓ બીએસઈ સેન્સેક્સ કંપનીઓના 75 ટકા અને નિફ્ટી 50 કંપનીઓના 50 ટકા પણ ધરાવે છે, જે તેને દેશનાં સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક કેન્દ્રોમાંનું એક બનાવે છે. રાઉન્ડ ટેબલ દરમિયાન રજૂ કરાયેલા ગતિશીલતા અભ્યાસો દર્શાવે છે કે 52 ટકા મુસાફરો વ્યક્તિગત વાહનો, ટેક્સીઓ અને ઓટો- રિક્ષા પર આધાર રાખે છે, જ્યારે ફક્ત 25 ટકા લોકો તેમના દૈનિક મુસાફરી માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે. 54 ટકાથી વધુ મુસાફરો દરરોજ બે કલાકથી વધુ મુસાફરી કરે છે, જ્યારે પાંચમાંથી એક ત્રણ કલાકથી વધુ સમય વિતાવે છે. બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે બીકેસીમાં મુસાફરી કરતા મુસાફરો દ્વારા સામનો કરવામાં આવતા સૌથી મોટા પડકારોમાં ભીડ, અપૂરતી ફર્સ્ટ અને લાસ્ટ માઇલ કનેક્ટિવિટી અને મર્યાદિત પરિવહન પસંદગીઓનો સમાવેશ થાય છે. આ સાથે સર્વેનાં તારણો પરિવર્તન માટે એક મહત્ત્વપૂર્ણ તક દર્શાવે છે, જેમાં 82 ટકા મુસાફરોએ જો સેવાઓ વધુ વિશ્વસનીય, આરામદાયક અને અનુકૂળ બને તો જાહેર પરિવહન તરફ જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં મેટ્રોપોલિટન કમિશનર ડો. સંજય મુખરજીએ માર્ગદર્શન કર્યું હતું. બીકેસી કનેક્ટિવિટીના નવા યુગમાં પ્રવેશ કરી રહ્યું હોવાથી આ પહેલ વધુ મહત્વ ધરાવે છે. તાજેતરમાં કાર્યરત મેટ્રો લાઇન 3 પહેલાથી જ જિલ્લાના કેટલાક ભાગોને ઝડપી પરિવહનના અંતરમાં લાવી ચૂકી છે, જ્યારે આગામી મેટ્રો લાઇન 2B અને 4 લગભગ સમગ્ર વ્યવસાયિક જિલ્લાને મેટ્રો સ્ટેશનથી એક કિલોમીટરની અંદર રાખવાની અપેક્ષા છે, જે ટકાઉ મુસાફરી માટે અભૂતપૂર્વ તકો ઊભી કરશે. અગ્રણી કોર્પોરેટ્સ સહિતની પુનઃપુષ્ટિ એમએમઆરસી, એમએમએમઓસીએલ, બેસ્ટ ઉપક્રમ, મુંબઈ ટ્રાફિક પોલીસ, બીકેસી સ્થિત અગ્રણી કોર્પોરેટ્સ, બીકેસી મૂવ્સ કલેક્ટિવના સભ્યો અને ગતિશીલતા નિષ્ણાતોના પ્રતિનિધિઓએ રાઉન્ડ ટેબલમાં ભાગ લીધો અને સહયોગી કાર્યવાહી દ્વારા ટકાઉ ગતિશીલતાને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. રાષ્ટ્રીય મોડેલ બની રહેશે તેવી અપેક્ષા બીકેસી સાપ્તાહિક જાહેર પરિવહન દિવસ પહેલ રાષ્ટ્રીય મોડેલ તરીકે સેવા આપશે તેવી અપેક્ષા છે, જે દર્શાવે છે કે સરકારી એજન્સીઓ, પરિવહન સંચાલકો અને વ્યવસાયો સ્વચ્છ, ઓછી ભીડભાડવાળા અને વધુ ટકાઉ શહેરી કેન્દ્રો બનાવવા માટે સાથે મળીને કેવી રીતે કામ કરી શકે છે.
Read Original Article →