મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું

Gujarat4/8/2026, 6:35:44 AM
મોરબીમાં રોડના કામમાં નડતરરૂપ દબાણો દૂર કરાયા:ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે મહાપાલિકાનું બુલડોઝર ફર્યું
મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા હતા. વિવિધ આસામીઓ દ્વારા રોડની જગ્યામાં બે ફૂટથી લઈને છ ફૂટ સુધી દબાણ કરવામાં આવ્યું હતું, જેને દૂર કરાયું. મચ્છુ કેનાલની બાજુમાં નવા રોડના નિર્માણ માટે આ કામગીરી ચાલી રહી છે. આ રોડના કામમાં અવરોધરૂપ થતા દબાણોને કારણે મહાપાલિકાએ આ પગલું ભર્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પણ મોરબીના કોઈપણ વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવશે. તેમણે લોકોને સ્વેચ્છાએ સરકારી જમીન પરના દબાણો હટાવવા અપીલ કરી છે.
Read Original Article →