બહુચરાજીના શંખલપુર મંદિરના ગેટ પાસેથી ચોરી:દંપતી મંદિરના ગેટ પાસે બાઈક મુકી દર્શન કરવા ગયું, પરત ફરતા વાહન ગાયબ; પોલીસની અજાણ્યા ચોર સામે ફરિયાદ

Gujarat4/6/2026, 11:40:58 AM
બહુચરાજીના શંખલપુર મંદિરના ગેટ પાસેથી ચોરી:દંપતી મંદિરના ગેટ પાસે બાઈક મુકી દર્શન કરવા ગયું, પરત ફરતા વાહન ગાયબ; પોલીસની અજાણ્યા ચોર સામે ફરિયાદ
યાત્રાધમ બહુચરાજીમાં રહેતા અને મંદિરમાં યજમાનવૃત્તિ કરી પરિવારનું ગુજરાન ચલાવતા એક શ્રદ્ધાળુનું મોટર સાયકલ શંખલપુર બહુચર માતાજીના મંદિર પાસેથી ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ભોગ બનનાર દ્વારા બેચરાજી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ગેટ પાસે બાઈક મુકી દંપતી દર્શન કરવા મંદિરમાં ગયું બહુચરાજીના હરગોવનપુરા વિસ્તારમાં રહેતા નરેન્દ્રકુમાર ઉમીયાશંકર જાની ગત તારીખ 3 એપ્રિલ 2026ના રોજ રાત્રિના સમયે પોતાની પત્ની સાથે શંખલપુર ખાતે બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તેમણે પોતાનું હીરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ નંબર GJ-02-EB-2968 મંદિરના પ્રથમ ગેટ પાસે પાર્ક કર્યું હતું. દંપતી દર્શન કરી અને મેળાની મુલાકાત લઈને રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે પરત ફર્યું ત્યારે પાર્ક કરેલી જગ્યાએ તેમનું વાહન મળી આવ્યું નહોતું. બેચરાજી પોલીસમાં અજાણ્યા ચોર સામે ફરિયાદ આસપાસના વિસ્તારોમાં અને શંખલપુર ગામમાં શોધખોળ કરવા છતાં મોટર સાયકલનો કોઈ પતો લાગ્યો નહોતો. અંદાજે 50,000 રૂપિયાની કિંમતનું આ બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી કરી નાસી છૂટ્યો હોવાનું જણાતા અંતે નરેન્દ્રકુમારે પોલીસનો સંપર્ક કર્યો હતો. બેચરાજી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →