મંત્રી રિવાબા જાડેજા રાસ-ગરબા રમ્યા:જામનગરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો

Gujarat6/10/2026, 9:29:40 AM
મંત્રી રિવાબા જાડેજા રાસ-ગરબા રમ્યા:જામનગરના ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો
રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તેમણે મહિલાઓ સાથે રાસ-ગરબા રમ્યા હતા. સ્થાનિક મહિલા સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેમણે ભગવાન ઇન્દ્રેશ્વર મહાદેવનું પૂજન-અર્ચન કર્યું હતું અને રાજ્યની સુખ, શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત મહિલા ભક્તો સાથે રિવાબા જાડેજા પણ રાસ-ગરબાની રમઝટમાં જોડાયા હતા. આ દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ તકે મહિલા મંડળ દ્વારા મંત્રીનું ગુલાલ લગાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા ભક્તો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →