દીવમાં ગાંધીપરા વિસ્તાર પાસે અકસ્માત:છકડો રિક્ષા પલટતા એકનું મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત; પોલીસ તપાસ શરૂ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે ગાંધીપરા વિસ્તાર પાસે એક છકડો રિક્ષા પલટી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના તાલુકાના ઝાંખરવાડા ગામના રહેવાસી સંજયભાઈ વાસાભાઈ અને લાખાભાઈ, જેઓ દીવના વણાંકબારા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ છકડો રિક્ષામાં લઈ ને જઈ રહ્યા હતા. ગાંધીપરા વિસ્તાર પાસેથી પસાર થતી વખતે અચાનક તેમની છકડો રિક્ષા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સંજયભાઈ વાસાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લાખાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દીવ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →