હિરણ નદીમાં મૃત મરઘા,નોનવેજ કચરો ફેંકાયો:તાલાલામાં સ્વચ્છ જળ પ્રદૂષિત થતા લોકોમાં રોષ,પોલીસ કાર્યવાહી કરે તેવી લોકમાંગ
તાલાલા સહિત ગીર પંથકની લોકમાતા ગણાતી હિરણ નદીના સ્વચ્છ વહેતા જળમાં અજાણ્યા તત્વો દ્વારા માંસ, મટન અને મૃત મરઘા સહિતનો નોનવેજ કચરો ફેંકવામાં આવ્યો છે. આ ઘટના તાલાલા માર્કેટિંગ યાર્ડ સામેના ચેકડેમ પાસેના નદીના ભાગમાં બની હતી. નદીના પાણીમાં નોનવેજ કચરો અને મૃત મરઘા જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.આ નદીનું વહેણ તાલાલા શહેર તરફ આવતું હોવાથી, શહેરને પીવાનું પાણી આગળ આવેલા પાતળકુવા દ્વારા તાલાલા નગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવે છે. નદીમાં ફેંકવામાં આવેલા આ નોનવેજ કચરા અને મૃત મરઘાને કારણે પાણી દ્વારા લોકોમાં રોગચાળો ફેલાવવાનો અને તેમના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થવાનો ભય સેવાઈ રહ્યો છે.સ્વચ્છ પાણીમાં નોનવેજ કચરો અને મૃત મરઘા નાખવાથી લોકોની ધાર્મિક લાગણીઓને પણ ઠેસ પહોંચી છે. તાલાલાના લોકો દ્વારા પોલીસ સમક્ષ માંગ કરવામાં આવી છે કે નદીના સ્વચ્છ જળને પ્રદૂષિત કરીને લોકોની લાગણી દુભાવનારા તત્વોને શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
Read Original Article →