અધિક માસમાં દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા:ગોમતી સ્નાન કરી દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારો લાગી
દ્વારકા: અધિક માસ દરમિયાન દ્વારકા ખાતે દેશભરમાંથી મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો ઉમટી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો ગોમતી ઘાટ પર પવિત્ર સ્નાન કર્યા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન માટે લાંબી કતારોમાં જોવા મળ્યા હતા. ભક્તો ગોમતી નદીમાં સ્નાન કરીને સ્વર્ગ દ્વાર મારફતે દ્વારકાધીશ મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે. અધિક માસમાં ગોમતી સ્નાન અને દ્વારકાધીશના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દ્વારકા 'જય દ્વારકાધીશ'ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે, જેના કારણે વાતાવરણ ભક્તિમય બન્યું છે. દર્શન કર્યા બાદ ભક્તો સંતોષની લાગણી અનુભવી રહ્યા છે.
Read Original Article →