ગઢડા SBI (કૃષિ શાખા) બેંકમાં ખેડૂતોને મુશ્કેલી:કોંગ્રેસે તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચેતવણી આપી
ગઢડામાં SBI બેંક (કૃષિ શાખા) ખાતે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો છે. આ મામલે કોંગ્રેસે બેંક સત્તાધીશોને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે. તેમને યોગ્ય સેવા મળતી નથી, જેના કારણે તેઓ પરેશાન છે. ખેડૂતોની રજૂઆતો સાંભળ્યા બાદ ગઢડા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કોંગ્રેસના આગેવાનો તાત્કાલિક SBI બેંક પહોંચ્યા હતા. ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા કનુભાઈ જેબલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી અને અજયભાઈ ઝાલા સહિતના આગેવાનોએ બેંક ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ખેડૂતોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે, તો આવનારા દિવસોમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ ઉપરાંત, ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવશે.
Read Original Article →